Site icon Revoi.in

હુતી હુમલા વચ્ચે શ્રીલંકા લાલ સમુદ્રમાં યુદ્ધ જહાજ તૈનાત કરશે

Social Share

નવી દિલ્હીઃ લાલ સાગરમાં સતત કોમર્શિયલ જહાજો પર હૂતિયો વિદ્રોહીયોના હુમલાનો સામનો કરવા માટે શ્રીલંકાએ એક નૌસેના યુદ્ધ જહાજ તૈનાત કરશે. દેશના રાષ્ટ્રપતિ વિક્રમસિંઘેએ જાણકારી આપતા કહ્યું હતું કે, લાલ સાગરમાં હૂતી હુમલામાં કોમર્શિયલ જહાજને અસર થઈ રહી છે. તેમણે કહ્યું કે જો જહાજોને દક્ષિણ આફ્રિકાના માર્ગે વાળવામાં આવે તો તે વધુ ખર્ચાળ સાબિત થશે. તેથી, લાલ સમુદ્રમાં જહાજો પરના હુમલાને રોકવા માટે, શ્રીલંકાની નૌકાદળ લાલ સમુદ્ર તરફ જહાજ તૈનાત કરશે. ઉલ્લેખનીય છે કે વૈશ્વિક વેપાર માટેના મુખ્ય જળમાર્ગની સુરક્ષામાં ભારત સહિત અનેક દેશોની સાથે શ્રીલંકા પણ સામેલ થશે.

ઈરાન સમર્થિત હુતી બળવાખોરોએ તાજેતરના અઠવાડિયામાં વેપારી જહાજો પર 20 થી વધુ હુમલા કર્યા છે, જેમાં ગાઝામાં હમાસ આતંકવાદી જૂથ વિરુદ્ધ કરવામાં આવી રહેલી સૈન્ય કાર્યવાહીનો ઈઝરાયેલ પાસેથી બદલો લેવાનો દાવો કરવામાં આવ્યો છે. આ હુમલાઓએ એશિયા અને યુરોપ વચ્ચે માલસામાનની કિંમતમાં તીવ્ર વધારો કર્યો છે.

રિપોર્ટ અનુસાર, લાલ સમુદ્ર પર બાબ અલ-મંડેબ દક્ષીણી ચોકપોઇન્ટ પર કેન્દ્રિત હુતી હુમલાઓએ જળમાર્ગમાં શિપિંગને વિક્ષેપિત કર્યું છે જે વૈશ્વિક વેપારના લગભગ 12 ટકા વહન કરે છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ગાઝા પટ્ટીમાં વધુ સહાય ન આવે ત્યાં સુધી બળવાખોર જૂથો તેમના હુમલા ચાલુ રાખશે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે, ગયા મહિને દક્ષિણી લાલ સમુદ્રમાં હુતી બળવાખોરો દ્વારા ડ્રોન હુમલાઓ દ્વારા હિટ કરાયેલા બે જહાજોમાં એક ભારતીય ધ્વજ ધરાવતું ક્રૂડ ઓઇલ ટેન્કર હતું.