Site icon Revoi.in

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને કાર્યાલય ખાલી કરવા માટે સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

Social Share

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પૂર્વે જ સુપ્રીમ કોર્ટમાંથી આમ આદમી પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પાર્ટીને પોતાની ઓફિસ ખાલી કરવા નિર્દેશ કર્યો છે. કોર્ટે ચૂંટણીને ધ્યાનમાં રાખીને 15મી જૂન સુધીનો સમય આપ્યો છે. આમ આદમી પાર્ટીની સામે ફરિયાદ કરી હતી કે, તેમની ઓફિસ રાઉજ રેવન્યુ કોર્ટની સંપાદીત જમીન ઉપર બનાવાયું છે. આ મામલે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરીને ઓફિસ ખાલી કરવા માટે નિર્દેશ કર્યો હતો. હાઈકોર્ટના આદેશને આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે ઓફિસ ખાલી કરવા માટે નિર્દેશ કર્યો છે. તેમજ નિર્દેશ કર્યો હતો કે, આમ આદમી પાર્ટીની ઓફિસ માટે સરકારને આવેદન આપી શકે છે.  

કોર્ટે એમ પણ કહ્યું હતું કે, સંબંધિત વિભાગ આમ આદમી પાર્ટીના આવેદન ઉપર ચાર સપ્તાહમાં નિર્ણય લે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, આ ભૂમિ ઉપર હાઈકોર્ટના કર્મચારીઓનું આવાસ પરિસર બનાવાશે. અહીં પાર્ટીનું કાર્યાલય નહીં ચલાવી શકાય. આ પહેલા 14મી ફેબ્રુઆરીના રોજ આ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડએ કહ્યું હતું કે, કોઈને પણ કાનૂન તોડવાની મંજુરી આપી ના શકાય. કોર્ટે આપને કાર્યાલય ખાલી કરવા અને હાઈકોર્ટને જમીન સોંપવાનો નિર્દેશ કર્યો છે. કોર્ટે 15મી જુન સુધી આ કાર્યલય ખાલી કરવા માટે નિર્દેશ કરવા નિર્દેશ કર્યો હતો. ફરિયાદ હતી કે, આમ આદમી પાર્ટીનું કાર્યાલય દિલ્હી હાઈકોર્ટ માટે સંપાદિત રાઉજ એવેન્યુના પ્લોટ ઉપર કાર્યરત છે. અહીં પહેલા દિલ્હી ટ્રાન્સપોર્ટ મંત્રીનું આવાસ હતું. જે બાદ અહીં આમ આદમી પાર્ટીનું કાર્યલય બનાવી લેવામાં આવ્યું હતું.

આ મામલે આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે, અમે સુપ્રીમ કોર્ટમાં દસ્તાવેજ રજુ કરશે. આ મામલે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટને ભ્રમિત કરી રહી છે. આ ભૂમિ દિલ્હી સરકારે આમ આદમી પાર્ટીને ફાળવી છે અહીં કોઈ દબાણ કરવામાં આવ્યું નથી.