1. Home
  2. Tag "aap"

લોકસભા ચૂંટણીઃ AAPના સ્ટાર પ્રચારકોની યાદીમાં અરવિંદ કેજરિવાલ બાદ બીજા ક્રમે પત્ની સુનિતા કેજરિવાલ

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર વેગવંતો બન્યો છે. દરમિયાન રાજ્યમાં આમ આદમી પાર્ટીએ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. ચોંકાવનારી વાત એ છે કે, આ યાદીમાં પ્રથમ ક્રમે દિલ્હીના અરવિંદ કેજરિવાલનો સમાવેશ થાય છે. જ્યારે તેમના પત્ની બીજુ નામ તેમની પત્ની સુનિતા કેજરિવાલનો સમાવેશ થાય છે. આમ ‘આપ’માં અરવિંદ કેજરિવાલ બાદ બીજા ક્રમે […]

‘આપ’ને પૈસા નહીં આપીએ તો નુકશાન થશે, કે.કવિતાએ શરત રેડ્ડીને આપી હતી ધમકી

નવી દિલ્હીઃ દિલ્હી લિકર પોલિસી કેસમાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) ના નેતા કે.કવિતાને લઈને CBIએ કોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે. કે.કવિતાની કસ્ટડીની માંગ કરતા સીબીઆઈએ કોર્ટને જણાવ્યું કે, કે.કવિતાએ કથિત રીતે અરબિંદો ફાર્માના પ્રમોટર શરત ચંદ્ર રેડ્ડીને આમ આદમી પાર્ટી (AAP)ને દિલ્હીમાં પાંચ રિટેલ ઝોનના બદલામાં 25 કરોડ રૂપિયા આપવાની ધમકી આપી હતી. કોર્ટે કે.કવિતાને […]

દિલ્હી સરકારને પાડી રાષ્ટ્રપતિ શાસન લાદવાનું કાવતરું ઘડવાનો આતિશીએ લગાવ્યો ગંભીર આરોપ

નવી દિલ્હી: દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશી સિંહે આજે આરોપ લગાવ્યો હતો કે દિલ્હીની ચૂંટાયેલી સરકારને તોડી પાડવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે, દિલ્હી સરકારના અધિકારીઓએ આચારસંહિતાના બહાને મીટિંગમાં આવવાનું બંધ કરી દીધું છે. 20 વર્ષ જૂના કેસને લઈને દિલ્હી સીએમના અંગત સચિવને બરતરફ કરવામાં […]

દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદએ ‘આપ’ અને મંત્રી પદ ઉપરથી રાજીનામુ આપ્યું

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે. દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદએ રાજીનામુ આપ્યું છે. રાજકુમાર આનંદ દિલ્હી સરકારમાં સમાજ કલ્યાણ મંત્રીના પદ પર હતા. તાજેતરમાં જ રાજકુમાર આનંદના ઘરે ઈડીના દરોડા પડ્યાં હતા. જે બાદ તેમણે રાજીનામું આપતા તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. રાજકુમાર આનંદે મંત્રી પદ […]

જેલમાં અઠવાડિયામાં પાંચ વખત વકીલોને મળવાની કેજરિવાલની માંગણી કોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. જેલમાં વકીલોને અઠવાડિયામાં પાંચ વખત મળવાની માંગ કરતી સીએમ કેજરીવાલની અરજી કોર્ટે ફગાવી દીધી છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં લાંબી પૂછપરછ બાદ 21 માર્ચે ED દ્વારા સીએમ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. રિમાન્ડ પૂર્ણ થતા […]

PM નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે ટિપ્પણી કરનાર સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળી

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજય સિંહને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી પર કરેલી ટિપ્પણીના મામલે સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. સંજય સિંહે હવે ગુજરાતની નીચલી કોર્ટમાં ચાલી રહેલા ટ્રાયલનો સામનો કરવો પડશે. જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે હાઈકોર્ટના નિર્ણયમાં દખલ કરવાનો ઈન્કાર કર્યો હતો. નીચલી અદાલતે 2023માં અપરાધિક માનહાનિના કેસમાં સમન્સ જારી કર્યું છે […]

દિલ્હી દારૂ ગોટાળામાં મોટી કાર્યવાહી: AAP નેતા દુર્ગેશ પાઠક ઈડી ઓફિસ પહોંચ્યા, કેજરીવાલના પીએની પૂછપરછ

નવી દિલ્હી: દિલ્હી દારૂ ગોટાળાના મામલામાં તપાસ કરી રહેલી ઈડીએ વધુ એક મોટી કાર્યવાહી કરી છે. આમ આદમી પાર્ટીના નેતા દુર્ગેશ પાઠકને પહેલા સમન જાહેર કરવામાં આવ્યો અને હવે તેઓ ઈડી ઓફિસ પૂછપરછ માટે પહોંચી ચુક્યા છે. તેના સિવાય ઈડીએ કેજરીવાલના પીએ વિભવ કુમારની પૂછપરછ કરી છે. અધિકારીઓએ જાણકારી આપતા કહ્યું છે કે ઈડીએ સોમવારે […]

મનીષ સિસોદિયાને આજે પણ મળી નહીં રાહત, કોર્ટે 18 એપ્રિલ સુધી વધારી જ્યુડિશયલ કસ્ટડી

નવી દિલ્હી: દિલ્હી દારૂ નીતિ ગોટાળા સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં એરેસ્ટ કરાયેલા દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને આજે પણ કોઈ રાહત મળી શકી નથી. રાઉજ એવેન્યૂ કોર્ટે મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ  કસ્ટડી 18 એપ્રિલ સુધી લંબાવી દીધી છે. સ્પેશયલ જજ કાવેરી બાવેજાએ પહેલા આપવામાં આવેલી જ્યુડિશિયલ કસ્ટડીની અવધિના સમાપ્ત […]

કેજરીવાલ સરકારને મોટી રાહત, 3 દિવસમાં બીજીવાર સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા ગુડ ન્યૂઝ

નવી દિલ્હી: દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ફરી એકવાર ગુડ ન્યૂઝ મળ્યા છે. સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્ય સચિવ (નાણાં)થી જળાપૂર્તિ સંબંધિત એકમને ચુકવણી માટે જરૂરી ધનરાશિ જાહેર કરવાનું જણાવ્યું છે. સૌથી મોટી અદાલતે દિલ્હી જળ બોર્ડને નોટિસ પણ જાહેર કરી છે. આ મામલાની આગામી સુનાવણી હવે 10 એપ્રિલે થશે. કેજરીવાલ સરકારે આ કહેતા સુપ્રીમ […]

દિલ્હી આબકારી નીતિમાં ભાજપની સંડોવણીનો “આપ” નેતા સંજ્ય સિંહનો આરોપ

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજ્ય સિંહને દિલ્હી આબકારી નીતિ મામલામાં ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં છે. તેમણે કહ્યું હતું કે, ભાજપાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલને ફસાવવા માટે સમગ્ર કાવતરુ ઘડ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એક વ્યક્તિ છે મંગૂટા રેડ્ડી, જેણે 3 વાર નિવેદન આપ્યું છે. તેમનો દીકરો રાઘવ મંગૂટાએ સાત વાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code