Site icon Revoi.in

સરકારે ખાતર પર ભાવવધારો પરત ખેંચી સબસીડી વધારી,ખેડૂતોને રાહત

Social Share

દિલ્હી :કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ ખાતરના ભાવ વધારાને પરત ખેંચવાની જાહેરાત કરી છે. ભારે વિરોધ બાદ અંતે કેન્દ્ર સરકારે ખેડૂતોને ખાતરના ભાવ વધારાથી રાહત આપી છે. રાસાયણિક ખાતરમાં થયેલા ભાવ વધારાનો બોજ ખેડૂતો પર નાખવાના નિર્ણયને પાછો ખેંચ્યો છે.

મનસુખ માંડવિયા જણાવ્યું કે કંપનીઓને ખાતરના ભાવમાં વધારો પાછો ખેંચવા આદેશ અપાયો છે.કેન્દ્રએ ખાતર પર અપાતી સબસિડી વધારી છે, જેથી ખેડૂતો પર વધારાનો બોજ નહીં પડે. કેન્દ્ર સરકારે DAP પર સબસિડી 1200 રૂપિયાથી વધારીને 1650 રૂપિયા કરી છે. યુરિયા પર સબસિડી 1500 રૂપિયાથી વધારીને 2000 કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, NPK પર સબસિડી 900 રૂપિયાથી વધારીને 1,015 અને SSB પર 315 રૂપિયાથી વધારીને 375 રૂપિયા કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ રવિ સિઝનમાં ખેડૂતો માટે ખાતર સબસિડીના રૂપમાં 28 હજાર કરોડ રૂપિયા આપ્યા છે જેથી ખેડૂતો પર અયોગ્ય ભારણ ન વધે.

ભારત સરકારે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ભાવમાં વધારો થયો હોવા છતાં ખેડૂતોને સમાન દરે ખાતર આપવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોના લાભ માટે યુરિયા, ડીએપી, એસએસપી, એનપીકે ખાતરો પરની સબસિડીમાં વધારો કર્યો છે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે સરકારે આ વર્ષ માટે ફોસ્ફેટિક અને પોટેશિક ખાતરોના ભાવમાં વધારો નહીં કરવાનો નિર્ણય કર્યો છે. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ વર્ષ 2021-22 માટે ફોસ્ફેટિક અને પોટાશ ખાતરોના વધેલા ભાવ પાછા ખેંચવાનો નિર્ણય કર્યો છે. ફોસ્ફેટિક અને પોટાશ ખાતરોની સબસીડીમાં પ્રતિ બેગ રૂ.438 નો વધારો કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.