1. Home
  2. Tag "Agriculture"

કૃષિ માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર: ખેડૂત આઇડી જનરેટ કરવામાં ગુજરાત આગળ

અમદાવાદઃ ભારત સરકારે 2 સપ્ટેમ્બર, 2024ના રોજ જાહેર થયેલા ડિજિટલ કૃષિ મિશન અંતર્ગત ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ડીપીઆઈ)ની રચનામાં આગળનો માર્ગ દર્શાવવામાં સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. 5 ડિસેમ્બર 2024ના રોજ, રાજ્યમાં લક્ષ્યાંકિત સંખ્યાના 25% ખેડૂતો માટે ખેડૂત આઈડી ઉત્પન્ન કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું. આ સફળતા ભારત સરકારની ‘એગ્રી સ્ટેક પહેલ’ના ભાગરૂપે એક વ્યાપક […]

કૃષિ અને ખેડૂતોના વિકાસ વિના દેશનો સર્વાંગી વિકાસ શક્ય નથી: રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે (5 ડિસેમ્બર, 2024) ઓડિશાનાં ભુવનેશ્વરમાં ઓડિશા યુનિવર્સિટી ઑફ એગ્રિકલ્ચર એન્ડ ટેકનોલોજીનાં પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે, પદવીદાન સમારંભનો દિવસ વિદ્યાર્થીઓના આશાસ્પદ ભવિષ્યનો માર્ગ ખોલે છે. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે તેઓ હવે એક અલગ ઇકોસિસ્ટમમાં પ્રવેશી રહ્યા છે જેમાં તેમને વાસ્તવિક વિશ્વની પરિસ્થિતિઓમાં તેમના […]

5000 લોકોએ 2.50 લાખ સીડબોલ બનાવી પર્યાવરણ ક્ષેત્રે કરી અનોખી પહેલ

ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, જમીનમાં ઓર્ગેનિક કાર્બન ઘટતા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ વધતાં તેમાંથી ઉત્પન્ન થતા અન્ન, ફળ અને શાકભાજી ઝેરયુક્ત હોય છે. જે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. જેને પરિણામે કેન્સર, હ્રદયરોગ અને મધુપ્રમેહ જેવી બિમારીઓ વધી છે. આ બધામાંથી બચવાનો એક માત્ર ઉપાય પ્રાકૃતિક કૃષિ છે, તેમ જણાવતાં […]

કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે કેન્દ્ર સરકારે 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર

નવી દિલ્હીઃ કૃષિને ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ ગણાવતા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ખેડૂત આપણો ભગવાન છે અને ખેડૂતની સેવા એ જ ભગવાનની સેવા છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત સરકાર બન્યા બાદ સૌથી પહેલા 18 જૂને […]

કાળઝાળ ગરમીમાં ખેતી કામ કરતા ખેડૂતો માટે હીટવેવને લઈને એડવાઈઝરી જાહેર કરાઈ

અમદાવાદઃ ઉનાળાના બળબળતા તાપ વચ્ચે ખેતી કાર્યોમાં રાજ્યના ખેડૂતો હીટવેવ (લૂ)થી બચી શકે તે માટે ખેતી નિયામકની કચેરી દ્વારા હીટવેવ સામે લેવાના સાવચેતીના પગલાઓ અંગે સામાન્ય એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઈઝરીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના મગફળી, કેળ, ઉનાળુ મગ, ઉનાળુ ડાંગર, ઉનાળુ શાકભાજી, ઉનાળુ બાજરી પકવતા ખેડૂતોને ખેતી કાર્યોમાં યોગ્ય […]

વરસાદ ખેંચાતા ખેડૂતોને 10 કલાક વીજળી અને જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે

ગાંધીનગર: ગુજરાતમાં જુન જુલાઈમાં સારો વરસાદ પડ્યા બાદ ઓગસ્ટ મહિનો એકંદરે કોરો રહ્યો છે. તેના લીધે ખરીફ પાકને બચાવવા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ત્યારે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉભા પાકને હાલ પાણીની વધુ જરૂર હોવાથી ખેડૂતોને 10 કલાક વીજળી અપાશે. તેમજ જળાશયોમાંથી કેનાલોમાં પાણી છોડવામાં આવશે. ગુજરાતમાં જૂલાઈ મહિનામાં 80 ટકા […]

દેશમાં પુરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ : ડો. માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય રસાયણ અને ખાતર, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે અહીં રાજ્યના કૃષિ મંત્રીઓ સાથે દેશમાં ખાતરોની ઉપલબ્ધતા અને ઉપયોગ પર વાતચીત કરી હતી. બેઠક દરમિયાન તેમણે નેનો યુરિયા, નેનો ડીએપીની પ્રગતિ અને ક્ષેત્ર સ્તરે વૈકલ્પિક ખાતરોને પ્રોત્સાહન આપવાની અને આ સંદર્ભે રાજ્યો દ્વારા શરૂ કરવામાં આવેલા પગલાં અંગે પણ […]

મોદીની ઈજિપ્ત મુલાકાત બદલી શકે છે કૃષિનું ભવિષ્ય,આ મુદ્દાઓ પર પણ થશે સમજૂતી

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને ઈજિપ્તની મુલાકાતે જઈ રહ્યા છે જે ભારતમાં કૃષિનું ભવિષ્ય બદલી શકે છે. PM મોદી 24 અને 25 જૂને ઇજિપ્તની રાજધાની કાહિરામાં રહેશે. આતંકવાદને રોકવા માટે બંને દેશો વચ્ચે સહયોગ વધારવા પર ચર્ચા થશે. સંરક્ષણ ઉદ્યોગ, સુરક્ષા અને ઉર્જા ક્ષેત્રો માટે પણ વાતચીત થશે. કોઈપણ રીતે છેલ્લા બે વર્ષમાં […]

ખેતીમાં યુરિયા, DAP, જંતુનાશકોના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ક્ષીણ થાય છે: રાજ્યપાલ

અમદાવાદઃ ગો સેવા ગતિવિધિ – વડોદરા વિભાગના યજમાન પદે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના બાણજ ગામમાં યોજાયેલા ગૌ કૃષિ સંગમ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિને કૃષિના નવા યુગનો પ્રારંભ ગણાવી પ્રગતિશીલ ખેડૂતોને પ્રકૃતિ તરફ પ્રયાણ કરવા આહ્વાન કર્યુ હતું. વર્તમાન સમયમાં ખેતીમાં વધુ પડતાં રાસાયણિક ખાતર અને દવાઓના ઉપયોગથી મનુષ્ય અને જીવસૃષ્ટિમાં રોગનું પ્રમાણ […]

કૃષિ બાદ સૌથી વધુ રોજગાર આપનાર ક્ષેત્ર હોય તો તે ટેક્ષ્ટાઈલ ઉદ્યોગ: દર્શનાબેન જરદોશ

અમદાવાદઃ દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને સુરત એમ્બ્રોઈડરી એસોસિએશનના સંયુકત ઉપક્રમે સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત ત્રિદિવસીય ‘સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઈલ એન્ડ મશીનરી એક્ષ્પો- સીટમે 2023’ને કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. તા. 4 થી 6 માર્ચ દરમિયાન આયોજિત એક્ઝિબીશનમાં એમ્બ્રોઈડરી મશીનરીના કુલ 60 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code