Site icon Revoi.in

લોનની બાકી રકમ મામલે લોન લેનાર જેટલી જ જવાબદારી ગેરન્ટરની રહેશે

Social Share

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી 2026: લોકો પોતાની જરૂરીયાત પુરી કરવા માટે સામાન્ય રીતે લોન લેવાનું પસંદ કરે છે. લોન લેવા માટે સાક્ષી એટલે કે ગેરન્ટરની ખાસ જરૂર રહે છે. સાક્ષીએ હોય છે જે લોન ચુકવવાની ગેરેન્ટી આપે છે. સામાન્ય રીતે સાક્ષી મિત્રો અથવા પરિચીત લોકો જ બને છે. એટલું જ નહીં સાક્ષી પણ એક ફોર્માલિટી સમજીને લોન લેનાર માટે ગેરન્ટર બને છે. જો કે, સુપ્રીમ કોર્ટે લોન ગેરન્ટરની જવાબદારીને લઈને મહત્વનો નિર્દેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો હતો કે, ભારતીય કરાર અધિનિયમની કલમ 128 હેઠળ, ગેરંટર લોન માટે ઉધાર લેનાર જેટલો જ જવાબદાર છે.

સુપ્રીમ કોર્ટએ કહ્યું કે, Insolvency and Bankruptcy Code 2016 હેઠળ દેવા માટે મુખ્ય ઉધારકર્તા અને કોર્પોરેટ ગેરન્ટરની સાથે એક સાથે સીપીઆરપી (કોર્પોરેટ ઈનસોલ્વેનસી રિસોલ્યુશન પ્રોસેસ) શરૂ કરવા ઉપર કોઈ રોક નથી. ફેંસલેમાં કહ્યું કે, ભારતીય કોન્ટ્રાક્ટ એક્ટની કલમ હેઠળ 128 હેઠળ લોન પર ગેરેન્ટરની જવાબદારી પણ કર્જ લેનાર જેટલી જ હોય છે. ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ઓગસ્ટીન જોર્જ મસીહની બેંચએ વિષ્ણકુમાર અગ્રવાલ વિરુદ્ધ પીરામલ એન્ટરપ્રાઈઝ કેસમાં આપવામાં આવેલા એનસીએલએટીને જુના નિર્ણયને યોગ્ય મારીને ફગાવી દીધો હતો.

તેમાં જણાવાયું હતું કે જો એક જ લોન માટે એક ગેરંટર સામે CIRP શરૂ થઈ ચૂક્યું હોય, તો બીજા ગેરંટર અથવા પ્રાથમિક ઉધાર લેનાર સામે બીજી અરજી દાખલ કરી શકાતી નથી. આને એક જ ભૂલ માટે બે દંડ સમાન ગણવામાં આવતું હતું. કોર્ટે જણાવ્યું હતું કે બેંકો હવે એક સાથે ઉધાર લેનાર અને બધા ગેરંટર સામે અલગ- અલગ CIRP શરૂ કરી શકે છે. કોર્ટ માને છે કે ગેરંટર પણ લોન માટે જવાબદાર છે, તેથી બેંક લોનની ગેરંટરીમાં રહેલ દરેક વ્યક્તિ સામે કાર્યવાહી કરી છે જ્યાં સુધી તેને તેનો સંપૂર્ણ હિસ્સો ન મળે.

અગાઉના નિયમ હેઠળ, જો બે લોકો એક જ લોનની ગેરંટરીમાં હોય, તો બેંક એક સમયે ફક્ત એક જ વ્યક્તિનો સંપર્ક કરી શકતી હતી. બેંકને પૈસા વસૂલવામાં વર્ષો લાગતા હતા, કારણ કે તેને વ્યક્તિગત રીતે કાનૂની કાર્યવાહી શરૂ કરવાનો અધિકાર હતો. નવા નિયમ હેઠળ, ડિફોલ્ટની સ્થિતિમાં, બેંક ઉધાર લેનાર, પ્રથમ ગેરંટર અને બીજા ગેરંટર – ત્રણેય – સામે એક જ દિવસે એક સાથે કેસ દાખલ કરી શકે છે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે રાહત છે.

પહેલાં, લોન ગેરંટર્સ આત્મસંતુષ્ટ હતા, તેઓ માનતા હતા કે ડિફોલ્ટિંગ કંપની સામે CIRP કેસ ઉકેલાય ત્યાં સુધી ચિંતા કરવાની કોઈ વાત નથી. પરંતુ હવે, જો કંપની વેચાઈ જાય તો પણ, બેંક પ્રમોટરની સંપત્તિ જપ્ત કરવા માટે NCLT માં કાર્યવાહી શરૂ કરી શકે છે. જો કંપની વેચાયા પછી પણ બેંકનું દેવું વસૂલ ન થાય, તો બેંક બાકીના પૈસા વસૂલવા માટે પ્રમોટરના દરવાજા ખટખટાવી શકે છે. જો બેંક ઈચ્છે, તો તે તેના નુકસાનની ભરપાઈ કરવા માટે તમારી ફિક્સ્ડ ડિપોઝિટ, એકાઉન્ટ બેલેન્સ, મ્યુચ્યુઅલ ફંડ અને કોમર્શિયલ પ્રોપર્ટીઝ જપ્ત કરી શકે છે.

Exit mobile version