Site icon Revoi.in

ટીએમસી નેતા મહુઆ મોઈત્રાનો ઈડી સામે રજૂ થવાનો ઈન્કાર, કહ્યું- હું ચૂંટણી પ્રચારમાં છું વ્યસ્ત

Social Share

નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ મહુઆ મોઈત્રાએ ઈડી સમક્ષ રજૂ થવાનો ઈન્કાર કર્યો છે. એજન્સીએ મહુઆ મોઈત્રા અને કારોબારી દર્શનહીરાનંદાનીને સમન જાહેર કરીને ગુરુવારે પૂછપરછ માટે બોલાવ્યા હતા. બંને વિરુદ્ધ ઈડીએ ફેમાના ઉલ્લંઘનનો મામલો નોંધ્યો છે. આ મામલામાં પૂછપરછ માટે બંનેને એજન્સી દ્વારા સમન જાહેર કરવામાં આવ્યું હતું. મહુઆ મોઈત્રાએ તો પેશીથી ઈન્કાર કર્યો છે અને તેમનું કહેવું છે કે તે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. માટે સમયનથી. તો દર્શન હીરાનંદાનીની પ્રતિક્રિયા હજી સુધી સામે આવી નથી.

આખા મામલાની જાણકારી ધરાવનારા સૂત્રોનું કહેવું છે કે મહુઆ મોઈત્રાના નોન રેસિડેન્ટ એક્ટર્નલ એકાઉન્ટથી લેણદેણ થઈ છે. તેના સિવાય પણ વિદેશથી ફંડ ટ્રાન્સફર થયું છે અને રકમ આવી છે. તેવામાં આ મામલાની પૂછપરછ એજન્સી કરવા માંગે છે તે મહુઆ મોઈત્રા અને દર્શન હીરાનંદાની સાથે પૂછપરછ કરવા માંગે છે કે આ રકમ ક્યાંથી આવી ને ક્યાં ઉદેશ્યથી ટ્રાન્સફર કરવામાં આવી હતી. મહુઆ મોઈત્રાની વિરુદ્ધ સીબીઆઈ પણ તપાસ કરી રહી છે. તેમની વિરુદ્ધ આ તપાસ કેશના બદલામાં સવાલના મામલામાં ચાલી રહી છે.

ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો આરોપ હતો કે મહુઆ મોઈત્રાએ કેશના બદલામાં સવાલ પુછયા છે. આ મામલાની તપાસ કરાવામાં આવી હતી, તેમાં આરોપો સાચા હોવાનું જણાયા બાદ મહુઆ મોઈત્રાની સદસ્યતા સમાપ્ત કરવામાં આવી હતી. આરોપ છે કે મહુઆ મોઈત્રાએ કારોબારી દર્શન હીરાનંદાનીને પોતાનું સંસદનું લોગઈન આઈડી આપ્યું હતું અને તેમની પાસેથી નાણાંની અવેજમાં સંસદમાં ગૌતમ અદાણી અને પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ સવાલ પુછયા હતા. જો કે ટીએમસીએ ફરી એકવાર મહુઆ મોઈત્રાને ઉમેદવાર બનાવ્યા છે. તેઓ ફરીથી પશ્ચિમ બંગાળની કૃષ્ણાનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.