Site icon Revoi.in

ભોજનમાં વધારે પડતુ મીઠું અનેક બીમારીઓને આપે છે આમંત્રણ….

Social Share

લોકોમાં ભોજનમાં સ્વાદ અનુસાર મીઠાનો ઉપયોગ કરે છે, જો કે, વધારે પડતુ મીઠું સ્વાસ્થય માટે હાનીકારક હોવાની તબીબો તથા ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’એ અનેકવાર ચેતવણી આપી છે. ડબ્લ્યુએચઓ અનુસાર, મીઠા દ્વારા વધુ પડતા સોડિયમના સેવનને કારણે 1.89 મિલિયન લોકો મૃત્યુ પામે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે મીઠું ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ થાય છે.

વધુ પડતું મીઠું ખાવાથી થતા રોગો

એક દિવસમાં કેટલું મીઠું ખાવું યોગ્ય છે?

‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’ અનુસાર, તંદુરસ્ત વ્યક્તિએ દરરોજ 5 ગ્રામ મીઠું ખાવું જોઈએ. એટલે કે વ્યક્તિએ આખા દિવસમાં 1 ચમચીથી વધુ મીઠું ન ખાવું જોઈએ. ઘણી વખત એવું બને છે કે તમે ચિપ્સ, જંક ફૂડ, ફળો, પ્રોસેસ્ડ ફૂડ દ્વારા વધુ પડતું મીઠું ખાઓ છો. પેક્ડ ફૂડમાં મીઠાનું પ્રમાણ ઘણું વધારે હોય છે. તેથી, ઓછામાં ઓછું બહારનું અથવા પેક્ડ ફૂડ ખાઓ.