Site icon Revoi.in

ગુજરાતમાં બે દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી, ખેડૂતો બન્યાં ચિતિત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો અને તા. 10 અને 11મી ડિસેમ્બરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જો રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડે તો ખેડૂતોને નુકસાન થવાની શકયતા છે.

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમજ તા. 10 અને 11 ડિસેમ્બરે સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ જિલ્લામાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીથી ફરીથી ધરતીપુત્રોની ચિંતા વધી ગઈ છે. પહેલા જ કપાસ, મગળફળી, તલ, બાજરીનો મોટો પાક નિષ્ફળ ગયા બાદ હવે શિયાળુ પાક સારો થાય તેવી જગતના તાતને આશા છે. પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ જો વરસાદ પડશે તો ખેડૂતોની ચિંતા વધી શકે છે. કારતક માસમાં ઠંડીએ જમાવટ કર્યા બાદ વાવાઝોડાના કારણે હાલ ઠંડીનો ચમકારો ઘટી ગયો છે અને મિશ્ર હવામાનનો અનુભવ થઈ રહ્યો છે.