Site icon Revoi.in

ગણતંત્ર દિવસ પર મુખ્ય મહેમાન બની શકે છે અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડેન- પીએમ મોદીએ આમંત્રણ પાઠવ્યું

Social Share

દિલ્હીઃ- ભારતના વિદેશ સાથેના સંબંધો મજબૂત બન્યા છે ત્યારે વિદેશી નેતાઓ ભારતના મહેમાન બની રહ્યા છે,પીએમ મોદી દ્રારા દેશના સ્વતંત્રતા પર્વ હોય કે ગણતંત્રત દિવસનો પર્વ હોય વિદેશની નેતાઓને આમંત્રિત કરવામાં આવે છે ત્યારે તાજેતરની જાણકારી પ્રમાણે વર્ષ 2023 26મી જાન્યુઆરીના દિવસે પીએમ મોદીએ ગણતંત્ર દિવસના મુખ્ય અથિતિ તરીકે અમેરિકી રાષ્ટ્રપતિ જોબાઈડેનને આમંત્રણ આપ્યું હોવાની માહિતી સામે આવી છે.

જાણકારી પ્રમાણે બાઈડેનને ગણતંત્ર દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું છે. ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગારસેટ્ટીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે પીએમ મોદીએ આવતા વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણી માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું છે.