Site icon Revoi.in

આ ઓષધિનો કરો ઉપયોગ, ડાયાબિટીસ-ફેફસાના રોગ અને શરીરની બળતરાનું લાવશે નિવારણ

Social Share

દરેક ઔષધિને ખાવા પાછળ તેની સારી અને ખરાબ અસર જોવા મળતી હોય છે. કોઈ પણ પ્રકારનો આહાર લઈએ ત્યારે તેની શરીર પર કેટલાક પ્રકારની અસર જોવા મળતી હોય છે ત્યારે પેઠાનો રસ કે જે શરીરને અનેક બીમારીઓથી બચાવે છે.

પેઠાના રસનો ઉપયોગ શરીરને અંદરથી મજબૂત બનાવે છે અને સાથે સાથે તે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. જેના કારણે બીમાર પડવાની સંભાવનાઓ ઘણી ઓછી થઈ જાય છે. કેટલાક લોકો દ્વારા તો સામાન્ય રીતે પેઠાનું શાક બનાવીને પણ ખાવામાં આવે છે.

પેઠા શરીરને મોટી બીમારોથી રાહત આપે છે. કારણ કે તેમાં પ્રોટીન અને વિટામિન ભરપૂર માત્રામાં રહેલા છે. આ પ્રકારના ખનીજ પદાર્થો પેઠામાં રહેલા હોવાથી તે શરીરની બળતરા, હાથ પગમાં દુખાવો તથા છાતીના દુખાવાને ઓછો કરે છે. પેઠાનો ઉપયોગ ફેફસાની બળતરાને ઓછી કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.