નવી દિલ્હી, 16 ડિસેમ્બર, 2025ઃ India’s historic victory in the 1971 war 1971ના યુદ્ધમાં ભારતની ઐતિહાસિક જીતની યાદમાં રાષ્ટ્ર ૧૬ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ વિજય દિવસની ઉજવણી કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આ નિમિત્તે એ તમામ બહાદુર સૈન્ય જવાનોને શ્રદ્ધાંજલિ આપી જેમની બહાદુરી, પ્રતિબદ્ધતા અને દેશભક્તિ હંમેશા રાષ્ટ્રને ગૌરવ અપાવે છે અને દરેક નાગરિકને પ્રેરણા આપતી રહેશે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ લખ્યું કે ભારતીય સશસ્ત્ર દળોની ‘સ્વદેશીકરણ દ્વારા સશક્તિકરણ’ પહેલ ભવિષ્યના પડકારો માટે તૈયાર રહેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. “ઓપરેશન સિંદૂર દરમિયાન આપણાં સશસ્ત્ર દળોએ આત્મનિર્ભરતા, વ્યૂહાત્મક સંકલ્પ અને આધુનિક યુદ્ધ તકનીકોનો અસરકારક ઉપયોગ દર્શાવ્યો, જે સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણારૂપ છે.”
विजय दिवस के अवसर पर मैं भारत माता के वीर सपूतों को सादर नमन करती हूं। उनके साहस, पराक्रम और मातृभूमि के लिए अनन्य निष्ठा ने राष्ट्र को सदा गौरवान्वित किया है। उनकी वीरता और राष्ट्रप्रेम देशवासियों को प्रेरित करते रहेंगे। भारतीय सेना की ‘स्वदेशीकरण से सशक्तिकरण’ की पहल भविष्य की…
— President of India (@rashtrapatibhvn) December 16, 2025
આ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવન ખાતે પરમવીર દીર્ઘાનું ઉદ્ઘાટન કર્યું છે. આ દીર્ઘા (ગેલેરી)માં તમામ ૨૧ પરમ વીર ચક્ર (PVC) પુરસ્કાર વિજેતાઓની તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે. આનો ઉદ્દેશ્ય મુલાકાતીઓને રાષ્ટ્રની રક્ષામાં અજેય ભાવના દર્શાવનારા રાષ્ટ્રીય નાયકો વિશે પરિચિત કારવવાનો છે. રાષ્ટ્રપતિએ આ પ્રસંગે પીવીસી એવોર્ડ વિજેતાઓ અને નજીકના લોકોને પણ સન્માનિત કર્યા. રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી, ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, ચીફ ઓફ ધ એર સ્ટાફ એર ચીફ માર્શલ એપી સિંહ અને અન્ય મહાનુભાવો આ પ્રસંગે હાજર હતા.
On 16 December 1971, the valour of our Armed Forces led to a decisive victory against Pakistan, resulting in the birth of independent Bangladesh and reshaping the region’s geopolitical landscape.
This war reaffirmed India’s commitment to justice and freedom and showcased the…
— Vice-President of India (@VPIndia) December 16, 2025
ઉપરાષ્ટ્રપતિ શ્રી સીપી રાધાકૃષ્ણને પણ X પર એક પોસ્ટ દ્વારા બહાદુર નાયકોને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે 1971 ના યુદ્ધે ન્યાય અને સ્વતંત્રતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી અને ત્રણેય સેવાઓની અજોડ વ્યાવસાયિકતા દર્શાવી.
1971 માં ભારતની ઐતિહાસિક જીત સુનિશ્ચિત કરનારા બહાદુર સૈનિકોને યાદ કરતાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું: “તેમના અડગ સંકલ્પ અને નિઃસ્વાર્થ સેવાએ આપણા રાષ્ટ્રનું રક્ષણ કર્યું અને આપણા ઇતિહાસમાં ગૌરવની ક્ષણ બનાવી. આ દિવસ તેમની બહાદુરીને સલામ અને તેમની અજોડ ભાવનાની યાદ અપાવે છે. તેમની વીરતા ભારતીયોની પેઢીઓને પ્રેરણા આપે છે.”
On Vijay Diwas, we remember the brave soldiers whose courage and sacrifice ensured India had a historic victory in 1971. Their steadfast resolve and selfless service protected our nation and etched a moment of pride in our history. This day stands as a salute to their valour and…
— Narendra Modi (@narendramodi) December 16, 2025
રક્ષા મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી અને રાષ્ટ્રની સેવામાં સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુરોને શ્રદ્ધાંજલિ આપી. “દેશ ૧૯૭૧ ના નિર્ણાયક વિજય મેળવનારા ભારતીય સશસ્ત્ર દળો પ્રત્યે ગર્વ અને કૃતજ્ઞતાથી નમન કરે છે. સેના, નૌકાદળ અને વાયુસેનાએ દોષરહિત સંકલનમાં કાર્ય કર્યું, ઇતિહાસને ફરીથી આકાર આપ્યો અને ભારતના વ્યૂહાત્મક સંકલ્પને મજબૂત બનાવ્યો. તેમની બહાદુરી, શિસ્ત અને લડાયક ભાવના પેઢીઓને પ્રેરણા આપે છે અને આપણી રાષ્ટ્રીય ઇચ્છાશક્તિને મજબૂત બનાવે છે,” તેમ તેમણે જણાવ્યું હતું.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, ચીફ ઓફ ધ એર સ્ટાફ એર ચીફ માર્શલ એપી સિંહ, સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર સિંહ અને નૌકાદળના વાઇસ ચીફ વાઇસ એડમિરલ સંજય વાત્સાયને પણ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી અને શહીદ નાયકોને શ્રદ્ધાંજલિ આપી.

