Site icon Revoi.in

ચહેરા પર લાવવી છે કુદરતી ચમક? આયુર્વેદિક પદ્ધતિથી ઘરે જ બનાવો 3 પ્રકારના સ્ક્રબ

Social Share

વિજ્ઞાન અને આયુર્વેદ બંને માને છે કે ત્વચાના મૃત કોષોને દૂર કરવા અને ગ્લોઈંગ સ્કીન મેળવવા માટે ‘એક્સફોલિએશન’ એક ઉત્તમ માધ્યમ છે. આયુર્વેદમાં તેને ‘ઉદ્ધર્તન’ અથવા ઉબટણની સૌમ્ય રીત માનવામાં આવે છે. આપણા રસોડામાં હાજર બેસન, મુલતાની માટી, એલોવેરા અને મધ જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે વાત, પિત્ત અને કફ દોષ મુજબ ઘરે જ નેચરલ સ્ક્રબ તૈયાર કરી શકીએ છીએ. નેચરલ સ્ક્રબ સ્કીનના ઉપરના પડ પરથી ગંદકી અને ઝેરી તત્વો સાફ કરે છે, જેનાથી ત્વચા સારી રીતે શ્વાસ લઈ શકે છે. આ પ્રક્રિયાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને ત્વચાની કુદરતી ચમક વધે છે. નિયમિત એક્સફોલિએશનથી બંધ છિદ્રો ખુલે છે અને સ્કીન સોફ્ટ બને છે.

ડ્રાય સ્કીન કુદરતી રીતે રૂક્ષ અને નિસ્તેજ હોય છે. તેને હાઈડ્રેશન અને તેલની જરૂર હોય છે.
સામગ્રી: 3 ચમચી બેસન, 2 ચમચી બદામનું તેલ, 1 ચમચી મધ, જરૂર મુજબ ગુલાબજળ.
બનાવવાની રીત: બધી સામગ્રી મિક્સ કરીને પેસ્ટ બનાવો.
ફાયદા: બેસન સ્કીનને સાફ કરે છે, જ્યારે બદામનું તેલ અને મધ ત્વચાને અંદરથી પોષણ આપી કોમળ બનાવે છે.

ઓઈલી સ્કીન સંવેદનશીલ હોય છે અને તેમાં બળતરા કે ખીલ થવાનું જોખમ વધુ હોય છે. તેને ઠંડકની જરૂર હોય છે.
સામગ્રી: 3 ચમચી મુલતાની માટી (અથવા ચંદન પાવડર), 2 ચમચી એલોવેરા જેલ, 1 ચમચી મધ, 2 ચમચી ગુલાબજળ.
બનાવવાની રીત: સ્મૂધ પેસ્ટ બને ત્યાં સુધી બધું મિક્સ કરો.
ફાયદા: મુલતાની માટી વધારાનું તેલ શોષી લે છે અને એલોવેરા તથા ગુલાબજળ ત્વચાને ઠંડક આપી પિત્ત શાંત કરે છે.

આવી ત્વચા માટે ખૂબ જ હળવા સ્ક્રબની જરૂર હોય છે જે સ્કીનને ઈરિટેટ કર્યા વગર સાફ કરે.
સામગ્રી: 2 ચમચી બારીક પીસેલા ઓટ્સ (અથવા ચોખાનો લોટ), 1 ચમચી મધ, 2 ચમચી દૂધ, થોડું એલોવેરા જેલ.
બનાવવાની રીત: આ મિશ્રણને બરાબર ફીણીને તૈયાર કરો.
ફાયદા: ઓટ્સ ત્વચાની બળતરા શાંત કરે છે અને દૂધના નેચરલ એન્ઝાઇમ્સ સ્કીનને હળવેથી સાફ કરે છે.

સૌ પ્રથમ હૂંફાળા પાણીથી ચહેરો ધોવો જેથી છિદ્રો ખુલે. તૈયાર સ્ક્રબથી 3 થી 5 મિનિટ સુધી હળવા હાથે ગોળાકાર માં મસાજ કરો. કોણી અને ઘૂંટણ જેવા ખરબચડા ભાગો પર થોડું વધુ ધ્યાન આપો. પાણીથી ધોઈ લીધા બાદ જ્યારે સ્કીન થોડી ભેજવાળી હોય ત્યારે જ મોઈશ્ચરાઈઝર લગાવો.

પેચ ટેસ્ટ: ઉપયોગ કરતા પહેલા હાથના અંદરના ભાગે લગાવીને 24 કલાક ચેક કરી લો.
મર્યાદિત ઉપયોગ: અઠવાડિયામાં માત્ર 1 કે 2 વાર જ સ્ક્રબ કરવું.
ક્યારે ટાળવું: જો સ્કીન પર ઘા હોય, એક્ટિવ ખીલ હોય કે રેશેશ હોય તો સ્ક્રબ ન કરવું. બળતરા થાય તો તરત જ પાણીથી ધોઈ નાખવું.

Exit mobile version