Site icon Revoi.in

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આ વર્ષની ઉત્તરાયણ ક્યાં-ક્યાં ઉજવશે? જાણો

Union Home Minister Amit Shah

Union Home Minister Amit Shah

Social Share

અમદાવાદ, 12 જાન્યુઆરી, 2026 – Union Home Minister Amit Shah કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ત્રણ દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે. 13 – 14 અને 15 જાન્યુઆરી દરમિયાન તેઓ વિવિધ સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમોમાં હાજરી આપશે.

ગુજરાત ભાજપ દ્વારા જારી અમિતભાઈ શાહના ત્રણ દિવસના કાર્યક્રમોની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી છે. તદઅનુસાર, તેઓ આવતીકાલે અર્થાત 13 જાન્યુઆરીને મંગળવારે સવારે 10.00 વાગ્યે માણસા પહોંચશે. ત્યારબાદ પેથાપુર, બપોરે બે વાગ્યા પછી સનાથલ અને સાંજે ચાર વાગ્યા પછી આણંદના કાર્યક્રમોમાં સામેલ થશે. કેન્દ્રીય મંત્રી સાંજે છ વાગ્યાના અરસામાં નડિયાદ સંતરમ મંદિરમાં દર્શન કરશે.

Union Home Minister Amit Shah

ગુજરાત મુલાકાતના બીજા દિવસે એટલે કે 14 જાન્યુઆરીએ ઉત્તરાયણના દિવસે સવારે અમદાવાદમાં જગન્નાથજી મંદિરમાં દર્શન કર્યા બાદ 11.30 વાગ્યે નારણપુરામાં વોર્ડના કાર્યકરો સાથે પતંગત્સવ ઉજવશે. એ જ રીતે બપોરે ત્રણ વાગ્યા બાદ નવા વાડજના કાર્યકરો સાથે બે અલગ અલગ સ્થળે પતંગોત્સવમાં સામેલ થશે.

Union Home Minister Amit Shah

15 જાન્યુઆરીને ગુરુવારે સવારે 10.45 વાગ્યે ટાગોર હૉલ ખાતે અમિતભાઈની ઉપસ્થિતિમાં ડૉ. ગૌતમ પટેલ સંપાદિત આદિ શંકરાચાર્ય ગ્રંથાવલીનો વિમાચન સમારંભ યોજાશે.

માત્ર નિમંત્રિત મહેમાનો માટે કાર્યક્રમ

આ પણ વાંચોઃ અમદાવાદઃ PM મોદી અને ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ માણ્યો

Exit mobile version