Site icon Revoi.in

અમદાવાદમાં કોરોનાના નિયનોની ઐસીતૈસી કરીને યુનિ ગ્રાઉન્ડ, રિવરફ્રન્ટ વસ્ત્રાલમાં ક્રિકેટ રમતા યુવાનો

Social Share

અમદાવાદ : શહેરમાં કોરોના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં ઘણાબધા શહેરીજનોની બેદરકારી જોવા મળી રહી છે. હજુપણ ઘણા લોકો કોરોનાને ગંભીરતાથી લેતા નથી. માસ્ક પહેરતા નથી કે સોશિયલ ડિસ્ટન્સ પણ રાખતા નથી. લોકોમાં સ્વયં જાગૃતિ નહી આવે ત્યાં સુધી કોરોનાને હરાવવો મુશ્કેલ છે. સરકારે કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે જીમ પણ બંધ કરાવી દીધા છે. ત્યારે શહેરના યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર રવિવારે તો યુવાનો બિન્દાસ્ત ક્રિરેટ રમતા જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં એકઠા થયેલા યુવાનોએ માસ્ક પણ પહેર્યા નહતા કે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.

અમદાવાદમાં કોરોના વાયરસનું  સંક્રમણ વધી રહ્યું છે. કોરોનાથી બચવા ડૉક્ટર્સ પણ લોકોને નિયમોનું પાલન કરવાની સલાહ આપી રહ્યા છે. છતાં કોઈને કોઈ પ્રકારે લોકો ભાન ભૂલી રહ્યા છે. નિયમોની ઐસી તૈસી કરીને  યુનિવર્સિટીના વિશાળ ગ્રાઉન્ડ પર અસંખ્ય યુવાનો  ક્રિકેટ  રમતા જોવા મળ્યા હતા. જ્યાં કોઈ સોશિયલ ડિસ્ટન્સ કે યુવાના ચહેરા પર માસ્ક જોવા મળ્યા નહતા.આ ઉપરાંત  શહેરના પૂર્વ વિસ્તારોમાં હવે ખાલી હોય તેવા મેદાનો પર યુવાનો ક્રિકેટ રમી રહેલા જોવા મળ્યા હતા. ક્રિકેટ રમી રહેલા યુવાનો અને તેમનો ઉત્સાહ વધારવા ટોળે વળેલા લોકો કોરોના કાળમાં ભાન ભૂલ્યા હતા. મોઢા પર માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સના પાલન વગર મોટી સંખ્યામાં લોકો ક્રિકેટ રમવાની મજા માણી રહ્યા હતા. આવી સ્થિતિ માત્ર વસ્ત્રાલ જ નહીં, શહેરના GMDC ગ્રાઉન્ડમાં, તેમજ  રિવરફ્રન્ટ પરના ગ્રાઉન્ડમાં  જોવા મળી હતી. આમ તો કોરોનાની વકરતી સ્થિતિ વચ્ચે વહેલી સવારથી લોકો ક્રિકેટ રમતા હોય છે. પણ રવિવાર જેવી રજાના દિવસે લોકોની ભીડ વધી જાય છે.

હાલમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. આવી ચિંતાજનક સ્થિતિમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમો પાળવા જરૂરી છે. તેવામાં  ડોકટર્સ પણ માક્સ વગર ઘરની બહાર નહિ નીકળવાની સલાહ આપી રહ્યા છે. છતાં લોકો બેફીકર થઈને જાહેરમાં માસ્ક વગર ફરી રહ્યા છે

મહત્વનું છે કે, એકતરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર કોરોનાના કેસ ડામવા વેકસીનેશન ડ્રાઈવ ચલાવી રહ્યું છે. જેમાં સાથ સહકાર આપવાની જગ્યાએ યુવાઓ નિયમોનું ઉલ્લંઘન કરીને બેફામ રીતે ક્રિકેટ રમી રહ્યા હતા. જો કોરોનાના કેસ અને સંક્રમણ ઘટાડવું હશે તો લોકોનો સહકાર જરૂરી છે. નહિ તો આ પ્રકારની બેદરકારી કોરોનાને વધુ ઘાતક બનાવશે તે નક્કી છે. આપણી એક ભૂલ આપના માટે જ નહીં પુરા પરિવાર અને સમાજ માટે ભારે પડી શકે છે.