Site icon Revoi.in

મંત્રી કૌશિક પટેલ અને પ્રદિપસિંહ જાડેજાના સ્ટાફના બે કમાંડો સહિત કુલ 12 લોકો પોઝિટીવ

Social Share

ગાંધીનગરઃ શહેરમાં તાજેતરમાં વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન મહેસુલ મંત્રી કૌશિક પટેલની તબિયત લથડી હતી. ત્યારબાદ સોમવારે તેમની ચેમ્બરમાં કોરોનાએ તરખાટ મચાવ્યો હતો. કૌશિક પટેલના પર્સનલ સંક્રેટરી હારેજા, APS એચ.પી.પટેલ, પી.એ.પટેલ અને નાયબ કલેક્ટર વિમલ પટેલ સહિત કોમ્પ્યુટર ઓપરેટર ધીરુભા ઝાલા અને એક સેવક છગનભાઈ કોરોના પોઝિટીવ આવ્યાં છે.તે ઉપરાંત ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઓફિસમાં પણ ચાર કર્મચારીઓ અને બે કમાંડો સંક્રમિત થયાં છે. અત્યાર સુધીમાં પાંચ મંત્રીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે. સચિવાલય અને વિધાનસભામા કુલ મળીને અત્યારસુધીમા એક મંત્રી સહિત કુલ 180માંથી 12 ધારાસભ્યો માત્ર 30 દિવસમાં જ પોઝિટિવ આવ્યા છે.

સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતિ મુજબ તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાનું સત્ર પૂર્ણ થયું છે ત્યારે 9 ધારાસભ્યોને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. તેમજ સત્ર પૂર્ણ થયા બાદ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પણ કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. તેમણે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતે કોરોના પોઝિટિવ આવ્યા હોવાની જાણકારી આપી હતી. કોરોના પોઝિટિવ આવતા ગૃહરાજ્યમંત્રી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા છે. જાડેજાએ સોશિયલ સાઈટ ટ્વિટર પર ટ્વિટ કરીને પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. સાથે જ તેમણે અપીલ કરી હતી કે, મને કોરોનાનાં સામાન્ય લક્ષણો જણાતા ટેસ્ટ કરાવેલો જેનો રિપોર્ટ પોઝિટિવ આવેલો છે. ડોક્ટરોની સલાહ પર હું હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યો છું.