1. Home
  2. Tag "Minister"

આદિવાસી વિસ્તારમાં સર્વાંગી વિકાસની સુવિધાઓ માટે સરકાર કટિબદ્ધ છેઃ ભાનુબેન બાબરિયા

ગાંધીનગરઃ  વિશ્વમાં આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિ, ગૌરવ, ઓળખ અને અસ્તિત્વને જાળવી રાખવાના પ્રયાસના ભાગરૂપે દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિવાસી વસ્તી ધરાવતા 14 જિલ્લાઓમાં 9 મી ઓગષ્ટના દિવસે “વિશ્વ આદિવાસી દિવસ”ની ઊજવણી કરાઇ હતી. દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે સામાજીક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાલ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં તથા ધારાસભ્ય […]

ભાજપના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદીજી ઓડિશા સરકારમાં બે વખત મંત્રી રહી ચુક્યાં છે

નવી દિલ્હીઃ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદનો કાર્યકાળ આગામી દિવસોમાં પૂર્ણ થાય છે. જેથી આગામી દિવસોમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. વિપક્ષ દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે યશવંતસિન્હા ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે. જ્યારે ભાજપ દ્વારા દ્રૌપદી મુર્મુની પસંદગી કરી છે. આદિવાસી સમાજમાંથી આવતા દ્રૌપદી મુર્મુજી ઝારખંડમાં રાજપાલ તરીકે કાર્યકાળ પૂર્ણ કરનારા પ્રથમ મહિલા છે. તેમજ ઓડિસા સરકારમાં […]

રાજસ્થાન વિધાનસભામાં બળાત્કાર કેસ મુદ્દે મંત્રીના નિવેદનથી વિવાદ કર્યો

જયપુરઃ રાજસ્થાનમાં મંત્રી શાંતિ ધારીવાલે કહ્યું કે રાજસ્થાન “બળાત્કારના કેસોમાં નંબર વન પર છે” કારણ કે તે “પુરુષોનું રાજ્ય છે.” મંત્રીના આ નિવેદનથી વિવાદ ઉભો થયો છે. રાજસ્થાનના સંસદીય બાબતોના પ્રધાન શાંતિ ધારીવાલે વિધાનસભામાં જવાબ આપતા કહ્યું હતું કે રાજ્ય “બળાત્કારના કેસોમાં નંબર વન પર છે.” શાંતિ ધારીવાલે રાજસ્થાન વિધાનસભામાં બોલતા કહ્યું હતું કે, “બળાત્કારના […]

મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિકની EDએ ધરપકડ કરી

મુંબઈ: મહારાષ્ટ્રના મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નવાબ મલિકની આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. EDના અધિકારીઓ સવારે 6 વાગ્યે નવાબ મલિકના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેની લગભગ એક કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ઘરે પૂછપરછ કર્યા પછી, અધિકારીઓ નવાબ મલિકને તેમની સાથે ED ઓફિસ લઈ ગયા […]

કોરોના સંકટઃ મહારાષ્ટ્રના વધુ એક મંત્રી અને સાંસદ સંક્રમિત થયાં

અત્યાર સુધીમાં 12 મંત્રીઓને લાગ્યો ચેપ આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. દરમિયાન રાજ્યમાં અત્યાર સુધીમાં અનેક મંત્રી અને ધારાસભ્યો પણ સંક્રમિત થયાં છે. દરમિયાન સીએમ ઠાકરેના વધુ એક મંત્રી કોરોનાની ઝપટે ચડ્યાં છે. એટલું જ નહીં શિવસેનાના સાંસદ પણ સંક્રમિત થયા હતા. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 12 […]

મહારાષ્ટ્રઃ કેટલાક મંત્રી અને ધારાસભ્યોને લાગ્યો કોરોના ચેપ, આરોગ્ય વિભાગ દોડતું થયું

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ઓમિક્રોન અને કોરોનાના અન્ય વેરિએન્ટના કેસમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન મહારાષ્ટ્રના ઘણા મંત્રીઓ અને ધારાસભ્યો કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે. મહારાષ્ટ્રના કેટલાક ધારાસભ્યો અને મંત્રીઓ કોરોના સંક્રમિત થયાનું સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવારે જણાવ્યું છે […]

મંત્રી હતો ત્યારે રજુઆતની જરૂર પડતી નહતી, હવે લેખિત ફરિયાદ કરવી પડે છેઃ કુવરજી બાવળિયા

રાજકોટઃ  શહેર અને જિલ્લા ભાજપમાં જુથવાદ ચાલી રહ્યો છે. એમાંયે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતાઓને કોઈ પૂછતું પણ નથી. અગઉ મંત્રી રહી ચકેલા નેતાને પણ લેખિત રજુઆતો કરવી પડે છે. વાત છે, કુંવરજી બાવળિયાની. જ્યારે બાવળિયા સરકારમાં મંત્રીપદે હતા ત્યારે જસદણ મત વિસ્તાર જ નહીં પણ રાજકોટ જિલ્લાના તેઓ ઈચ્છે તે મુજબના કામો થતા હતા. […]

બિહારના સીએમ નીતિશ કુમારે મંત્રી અને અધિકારીઓને દારૂ નહીં પીવાની શપથ લેવડાવી

દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારએ શુક્રવારે નશામુક્ત દિવસ પ્રસંગ્રે પટનામાં જ્ઞાન ભવનમાં મંત્રીઓ અને અધિકારીઓએ એકવાર ફરીને દારૂ નહીં પીવાના શપથ લેવડાવ્યાં હતા. નિતિશે પણ દારૂ નહીં પીવાના શપથ લીધા હતા. આ પ્રસંગ્રે સીએમએ કહ્યું હતું કે, તમારે કોઈ પણ કામ કરાવીએ તો 100 ટકા તેને સ્વીકારી નથી શકતા. કેટલાક લોકો કંઈને કંઈ ગડબડ કરી […]

CAA આ માટે છે મહત્વનું, જાણો શું કહ્યું કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ?

કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ CAA અંગે આપ્યું નિવેદન અફઘાનિસ્તાનની સ્થિતિ CAAનું મહત્વ દર્શાવી રહી છે CAA હેઠળ પાડોશી દેશમાં રહેલા લઘુમતી સમુદાયને ભારતની નાગરિકતા આપવાની જોગવાઇ છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તખ્તાપલટ બાદ ત્યાં સ્થિતિ ચિંતાજનક બની રહી છે. તાલિબાનનો ખોફ સતત વધી રહ્યો છે. લોકોમાં ડરનો માહોલ છે. આ વચ્ચે અફઘાનિસ્તાનમાં થયેલા સત્તા પરિવર્તન બાદ […]

મંત્રી કૌશિક પટેલ અને પ્રદિપસિંહ જાડેજાના સ્ટાફના બે કમાંડો સહિત કુલ 12 લોકો પોઝિટીવ

ગાંધીનગરઃ શહેરમાં તાજેતરમાં વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન મહેસુલ મંત્રી કૌશિક પટેલની તબિયત લથડી હતી. ત્યારબાદ સોમવારે તેમની ચેમ્બરમાં કોરોનાએ તરખાટ મચાવ્યો હતો. કૌશિક પટેલના પર્સનલ સંક્રેટરી હારેજા, APS એચ.પી.પટેલ, પી.એ.પટેલ અને નાયબ કલેક્ટર વિમલ પટેલ સહિત કોમ્પ્યુટર ઓપરેટર ધીરુભા ઝાલા અને એક સેવક છગનભાઈ કોરોના પોઝિટીવ આવ્યાં છે.તે ઉપરાંત ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઓફિસમાં પણ ચાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code