નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખાદીના વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે. એટલું જ નહીં પ્રજાને સરળતાથી ખાદીનું કપડુ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં આઉટલેટ પણ શરૂ કરવામાં આવ્યાં છે. તેમજ નિયમિત રીતે તેનું નવીનીકરણ પણ કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2021-22માં લગભગ પાંચ હજાર કરોડથી વધુની કિંમતનું ખાદી વેચાયું હતું.
કેન્દ્રીય MSME રાજ્ય મંત્રી ભાનુ પ્રતાપ સિંહ વર્માએ લોકસભામાં જણાવ્યું હતું કે, ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન (KVIC) દ્વારા MSME મંત્રાલય ‘ખાદી રિફોર્મ એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ’ (KRDP) અમલમાં મૂકે છે જેનો ઉદ્દેશ્ય સ્પિનર્સ અને વણકરોની આવક અને રોજગાર વધારવા માટે ખાદી સંસ્થાઓ દ્વારા સંચાલિત વેચાણ આઉટલેટ્સનું નવીનીકરણ કરીને ખાદી ક્ષેત્રને પુનર્જીવિત કરવાનો છે.
KVIC વેચાણ આઉટલેટ્સના આધુનિકીકરણ અને કોમ્પ્યુટરાઇઝેશન સહિત સેલ્સ આઉટલેટ્સના નવીનીકરણ માટે ‘હાલની નબળી ખાદી સંસ્થાઓના માળખાકીય માળખાને મજબૂત બનાવવા અને માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સહાય’ની વર્તમાન યોજના હેઠળ માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નાણાકીય સહાય પણ પ્રદાન કરે છે.