Site icon Revoi.in

ગુલામનબી આઝાદે પીએમના કર્યા વખાણઃ પહેલા મોદીને ક્રૂર સમજતો, પરંતુ તેમણે ઈન્સાનિયત દેખાડી

Social Share

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદે ફરી એકવાર રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, જે લોકો મારી સાથે પીએમ નરેન્દ્ર મોદીને મળવાની વાત કરે છે, તેઓ ભૂલી ગયા છે કે, તેમના નેતા લોકસભામાં ભાષણ આપ્યા બાદ પીએમને ગળે લગાવવા ગયા હતા. તેણે કહ્યું કે મારા દિલમાં તારા માટે કંઈ નથી. આઝાદે કહ્યું કે મેં પોતે કોંગ્રેસ નથી છોડી પરંતુ મને ઘર મજબુર કરાયો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપુર વખાણ કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, હું તેમને પહેલા ક્રુર સમજતો હતો પરંતુ તેમણે ઈન્સાનિયત દાખવી હતી.

કોંગ્રેસ છોડવાના સવાલ પર આઝાદે કહ્યું કે કોણ પોતે ઘર છોડે છે. મને કોંગ્રેસ છોડવા મજબુર કરાયો હતો. જ્યારે પરિવારને લાગે છે કે આ માણસ વોન્ટેડ નથી. જો આપણે અહીં પરદેશી ગણાતા હોઈએ તો એ ઘરમાં રહેતા વ્યક્તિનું કામ છે કે તે અહીંથી નીકળી જાય. સૌથી વધુ અફસોસ એ વાતનો છે કે જેઓ ખુશામત કરે છે કે ટ્વીટ કરે છે તેમને પાર્ટીમાં સ્થાન મળ્યું છે.

આઝાદે કહ્યું કે, જે લોકો મારા ડીએનએ મોદી વાલા હોવાની વાત કરે છે તે પહેલા તમે જ જુઓ. પીએમ મોદીએ શું કહ્યું, કોંગ્રેસ મુક્ત ભારત. જેમણે તેમને કોંગ્રેસ મુક્ત ભારત બનાવવામાં મદદ કરી હતી તેઓ મોદીને મળ્યા હતા. રાહુલ પર કટાક્ષ કરતા આઝાદે કહ્યું કે, જે લોકો લોકસભામાં બોલે છે તેઓ તેમને ગળે લગાવે છે અને કહે છે કે અમારા દિલમાં તમારા માટે કંઈ નથી. તેઓ મળ્યા છે કે આપણે મળ્યા છીએ?

આઝાદે પીએમ નરેન્દ્ર મોદીની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, જે લોકો રાજ્યસભામાં પીએમ મોદીના ભાષણમાં કંઈક જુએ છે તે યોગ્ય નથી. મોદીએ  લગ્ન નથી કર્યા, બાળકો નથી કર્યા.. હું તેમને ખૂબ જ ક્રૂર માણસ ગણતો હતો, પરંતુ તેણે માનવતા બતાવી છે.

જ્યારે આઝાદને સવાલ પૂછવામાં આવ્યો કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિદેશમાં હતા ત્યારે તમે રાજીનામું આપ્યું તો આઝાદે કહ્યું કે, ભગવાનનો આભાર સોનિયાજી સારા છે. તેમણે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકની અધ્યક્ષતા કરી હતી. ભગવાનનો આભાર કે તે ઠીક છે, સ્વસ્થ છે.