Site icon Revoi.in

ગુજરાત દેશનું પ્રથમ સેમિકન્ડક્ટર પોલીસી બનાવનાર રાજ્યઃ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર

Social Share

અમદાવાદઃ ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જેણે પોતાની સેમિકન્ડકટર પોલીસી બનાવી છે. રાજ્યમાં વિદ્યાર્થીઓ અને સ્પાર્ટઅપ્સ સાથે મળીને ગુજરાત ટેકડેમાં પ્રવેશ કરવામાં મદદ કરી શકે છે. તેમ સુરેન્દ્રનગરમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું.

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે આજે જણાવ્યું હતું કે ટીઅર 2 અને ટીઅર 3 શહેરો ટૂંક સમયમાં નવીનતાઓ અને સાહસોનું કેન્દ્ર બની શકે છે અને આ વિસ્તારોમાં કૌશલ્ય પ્રવૃત્તિઓ, ડિજિટલાઇઝેશનને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ભારતના ટેકડે યુવા ભારતીયો માટે જબરદસ્ત તકો લાવશે.

ચંદ્રશેખરે કહ્યું, “એકલા IITs નવીનતાઓને પ્રોત્સાહન આપી શકે છે તે વિચાર નિરર્થક બની ગયો છે. નવા ભારતમાં – પછીનો મોટો વિચાર કોઈપણ અને ગમે ત્યાંથી આવી શકે છે. આંતરશાખાકીય ક્ષેત્રોમાં ટેક્નોલોજીના ઉપયોગ માટે વિશાળ અવકાશ છે. યુવા ભારતીયો, સ્ટાર્ટઅપ્સ અને વિદ્યાર્થીઓએ તકોનો લાભ ઉઠાવવો જોઈએ અને સમગ્ર દેશને અનુસરવાનો માર્ગ બનાવવો જોઈએ.”

મંત્રીએ સુરેન્દ્રનગરની સી યુ શાહ યુનિવર્સિટીમાં “ન્યુ ઈન્ડિયા ફોર યંગ ઈન્ડિયા- ટેકડે ઓફ ઓપોર્ચ્યુનિટીઝ” વિષય પર વિદ્યાર્થીઓને સંબોધતા આ અવલોકનો કર્યા હતા અને આગામી દસ વર્ષ ગુજરાતના ટેકડે બનાવવા માટે સખત મહેનત કરવા વિનંતી કરી હતી. ઇન્ડસ્ટ્રી 4.0 એ ભવિષ્ય છે જેમાં મેન્યુફેક્ચરિંગ મોટી ભૂમિકા ભજવશે તેના પર ભાર મૂકતા તેમણે કહ્યું કે પીએમ મોદીએ સેમીકોન બિઝનેસ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇમર્જિંગ ટેક્નોલોજીમાં તકોને આગળ વધારવા માટે આત્મનિર્ભર ભારત માટે પહેલેથી જ રોડમેપ તૈયાર કર્યો છે. “PM મોદી પુનઃકલ્પિત મહત્વાકાંક્ષાઓ સાથે યુવા ભારત માટે નવા ભારતનું નિર્માણ કરી રહ્યા છે જેથી કરીને આપણે એક ટ્રિલિયન યુએસડી ડિજિટલ ઇકોનોમી/5T યુએસડી ઇકોનોમીના આપણા લક્ષ્યને હાંસલ કરી શકીએ અને ટેક્નોલોજીમાં વિશ્વાસપાત્ર ભાગીદાર અને વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓમાં એક મુખ્ય ખેલાડી તરીકે પણ ઉભરી શકીએ.” તેમણે કહ્યું.

પીએમ નરેન્દ્ર મોદીના ન્યુ ઈન્ડિયાના વિચારને આગળ ધપાવવા માટે ગુજરાતની પ્રશંસા કરતાં ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, “ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જેણે પોતાની સેમિકન્ડક્ટર પોલિસી બનાવી છે. રાજ્યમાં વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ્સ સાથે મળીને ગુજરાત ટેકડેમાં પ્રવેશ કરવામાં મદદ કરી શકે છે.” કૌશલ્યના પ્રયત્નો પર, ચંદ્રશેખરે જણાવ્યું હતું કે સરકારનું લક્ષ્ય ભારતને પ્રતિભા હબ બનાવવાનું છે અને આ હેતુ માટે, તેમણે 5000 કૌશલ્ય કાર્યક્રમો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કે જે યુનિવર્સિટીઓને કૌશલ્ય હબ બનવાની સુવિધા આપે છે, ડિગ્રી, પ્રમાણપત્રો જેવા અનેક સક્રિય પગલાં લીધા છે.

મંત્રીએ વિદ્યાર્થીઓ સાથે ‘Q n A’ સત્રમાં ભાગ લીધો હતો અને 5G તકોથી લઈને ગુજરાતમાં MSMEની વૃદ્ધિ અને ડેટા સંરક્ષણ કાયદા સુધીના વિષયો પરના તેમના પ્રશ્નોના જવાબો આપ્યા હતા. બાદમાં ચંદ્રશેખર રાજકોટ જવા રવાના થયા, જ્યાં તેમણે આર.કે. યુનિવર્સિટીમાં સ્ટાર્ટઅપ્સ સાથે જોડાયાં અને ઉદ્યોગ, શિક્ષણવિદો અને શહેરના અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે બેઠક યોજી અને તમામ ભારતીયોને સશક્ત બનાવવા માટે PM નરેન્દ્ર મોદીના વિઝન – સબકા સાથ સબકા વિકાસને શેર કર્યા.

Exit mobile version