Site icon Revoi.in

ગોળમાં આ બે વસ્તુ મિક્ષ કરીને આપશો, તો જિંદગીભર બીમાર નહીં પડે

Social Share

ઘણી વાર માં-બાપને ફરિયાદ કરે છે કે તેમના બાળકની ઈમ્યૂનિટી ખૂબ કમજોર છે કે તે સરખી રીતે ખાતા નથી અથવા ભૂખ ઓછી છે. તે જ સમયે, કેટલાક માતા-પિતા તેમના બાળકના વારંવાર બીમાર પડે અથવા શરદી અને ઉધરસથી પરેશાન રહે છે.
બાળકોની ઈમ્યૂનિટી વધારવા માટે શું ખવડાવી શકીએ? બાળકોમાં શરદી અને ઉધરસ પણ આ ઉપાયથી મટાડી શકાય છે. જાણીએ ડોક્ટર દ્વારા આપવામાં આવેલ આ ઉપાય વિશે.
• કેવી રીતે બનાવવું
એક કપ લો અને તેમાં બે ચમચી ગોળ ઉમેરો. પછી તેમાં એક ચમચી આદુનો પાવડર, એક ચૌથાઈ ચમચી હળદર અને એક ચમચી ઓગળેલું ઘી નાખો. તેને સારી રીતે મિક્સ કરો અને હાથ વડે નાનો બોલ બનાવો. આમાંથી એક બોલ તમારા બાળકને દરરોજ ખાવા માટે આપો.
• કઈ ઉંમર વાળા બાળકને ખવડાવવું
શરદી અને ઉધરસના કિસ્સામાં 15 મહિનાથી વધુ ઉંમરના બાળકને દિવસમાં બે વાર આ બોલ્સ ખવડાવી શકો છો. આ સિવાય 12 મહિનાથી વધુ ઉંમરના બાળકોને ખૂબ જ નાના બોલ ખવડાવી શકાય છે, પણ શરૂઆતમાં માત્ર એક જ બોલ ખવડાવવાનો હોય છે. જો તે બાળકને અનુકૂળ આવે તો જ તેને ખવડાવો.
• આ વાતનું ધ્યાન રાખો
આ બોલને થોડો સોફ્ટ બનાવો અને ઘી ઉમેરીને બોલ બનાવો. મોટા બાળકો માટે, તમે તેમાં એક ચપટી કાળા મરી પણ ઉમેરી શકો છો.
• ફાયદા શું છે
ગોળના બનેલા આ બોલ બાળકની ઈમ્યૂનિટી વધારે છે. તે શરીરને ગરમ રાખે છે અને બાળકને ઈમ્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. શિયાળાની ઋતુમાં બાળકો માટે આ ઉપાય ખૂબ જ ફાયદાકારક છે. જો બાળકને શરદી અને ઉધરસ હોય તો તેને એક બોલ ખાલી પેટ અને એક બોલ રાત્રે સૂતા પહેલા આપો.