Site icon Revoi.in

ભારત-પાકિસ્તાન વચ્ચે 2023 અને 2025માં ક્રેકિટ મેચ રમાય તેવી શકયતા

Social Share

દિલ્હીઃ ભારત અને પડોશી દેશ પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધમાં ખટાશ આવી છે. જેની અસર ક્રિકેટ ઉપર પણ પડી છે. બંને દેશની ક્રિકેટ ટીમ વચ્ચે વર્ષોથી કોઈ દ્રીપક્ષીય ટુર્નામેન્ટ રમાઈ નથી. જો કે, તાજેતરમાં જ ટી-20 વિશ્વ કપમાં ભારત અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. પાકિસ્તાનની ધરતી ઉપર ધમધમતી આતંકવાદી પ્રવૃતિઓ બંધ નહીં થાય ત્યાં સુધી ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ નથી થઈ. જો કે, વર્ષ 2025 સુધીના સમયગાળામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આઈસીસીની ટૂનાર્મેન્ટમાં ભારત-પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વચ્ચે ટક્કર જોવા મળે તેવી શકયતા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચે 16 વર્ષથી કોઈ સિરિઝ રમાઈ નથી. બીજી તરફ ક્રિકેટ પ્રેમીઓ ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મેદાનમાં જંગ જોવા ઉત્સુક છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ 2024થી 2031 વચ્ચેના સમયગાળામાં વૈશ્વિક ટૂર્નામેન્ટની જાહેરાત કરી હતી. આ દરમિયાન T20 વર્લ્ડ કપ, ODI વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી ભારતમાં રમવાની છે. જો બધુ બરાબર રહ્યું તો વર્ષ 2023 અને વર્ષ 2025માં ટીમ ઈન્ડિયાના પગલાં પાકિસ્તાનની ધરતી પર પડશે. 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરાયું છે. ICCએ વર્તમાન ચેમ્પિયન પાકિસ્તાનને તેની યજમાની સોંપી દીધી છે. એટલે કે, મેચ પાકિસ્તાનમાં જ રમાશે. આઈસીસી ઈવેન્ટ હોવાથી ભારતીય ટીમ તેમાં રમવાનો ઈન્કાર કરી શકે નહીં અને પરિણામે ટીમ ઈન્ડિયા પાકિસ્તાનના પ્રવાસે જશે. 2023માં એશિયા કપનું પણ આયોજન પાકિસ્તાનમાં થશે. ફરી એકવાર હોસ્ટિંગ પાકિસ્તાનના હાથમાં છે અને ICCની જેમ ભારતીય ટીમ પણ એશિયન ક્રિકેટ કાઉન્સિલની આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે રમશે.