Site icon Revoi.in

અમેરિકાની યુદ્ધની ધમકી સામે પણ ઈરાને ઝુકવાનો કર્યો ઈન્કાર

Social Share

તહેરાન, 13 જાન્યુઆરી 2026: 28 ડિસેમ્બરથી ઈરાનમાં મોંઘવારી વિરુદ્ધ શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો દેશના સર્વોચ્ચ શાસક અલી ખામેનીને હટાવવા માટે આંદોલનમાં ફેરવાઈ ગયા છે. સમગ્ર ઈરાનમાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. સુરક્ષા દળો દ્વારા ચલાવવામાં આવેલી ગોળીઓથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 2000 વિરોધીઓના મોત થયાના અહેવાલો છે.

ખામેનીએ કહ્યું છે કે અમેરિકા વિરોધીઓને ઉશ્કેરી રહ્યું છે. બીજી તરફ, અમેરિકાએ ઘણી વખત ચેતવણી આપી છે કે જો વિરોધીઓ પર દમન ચાલુ રહેશે, તો ઈરાને મજબૂત લશ્કરી હુમલા માટે તૈયાર રહેવું જોઈએ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પડકારને સ્વીકારતા ઈરાને કહ્યું કે તે દરેક રીતે યુદ્ધ માટે તૈયાર છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ઈરાન પર ખૂબ જ મજબૂત લશ્કરી હુમલો કરવાનું વિચારી રહ્યું છે. તેમણે કહ્યું કે પ્રદર્શનકારીઓને દબાવવા નહીં તેહરાનની ચેતવણીને અવગણવી ખૂબ જ મોંઘી પડશે. તેના જવાબમાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે ઈરાન નિષ્પક્ષ વાતચીત માટે તૈયાર છે, પરંતુ તે યુદ્ધ માટે પણ સંપૂર્ણપણે તૈયાર છે.

ઈરાની આરોગ્ય અધિકારીઓએ દાવો કર્યો છે કે તાજેતરના દિવસોમાં બે અઠવાડિયાથી વધુ સમયથી ચાલી રહેલી અશાંતિમાં પ્રારંભિક મૃત્યુઆંક ઓછામાં ઓછો 2,000 સુધી પહોંચી ગયો છે. ઈરાને બ્રિટન, જર્મની, ફ્રાન્સ અને ઇટાલીના રાજદૂતોને બોલાવ્યા છે. ઈરાને તેમની સરકારો પર વિરોધીઓને ટેકો આપવા અને તેની આંતરિક બાબતોમાં દખલ કરવાનો આરોપ લગાવ્યો છે.

સોમવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પને વરિષ્ઠ અધિકારીઓએ ઈરાન સામે કાર્યવાહી માટે 3 વિકલ્પો અંગે માહિતી આપવામાં આવી હતી. પ્રથમ, લશ્કરી હુમલો. બીજું, સાયબર ઓપરેશન. ત્રીજું, વિરોધીઓને મજબૂત બનાવવા માટે મનોવૈજ્ઞાનિક વ્યૂહરચના. અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્રણેયને જોડી શકાય છે. “કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી”

ઓસ્ટ્રેલિયાના પ્રધાન મંત્રી એન્થોની અલ્બેનીઝે વિરોધીઓ સામેની હિંસાની નિંદા કરી હતી. આશા વ્યક્ત કરી હતી કે ઈરાની લોકો વર્તમાન સરકારને હટાવશે અને એક લોકશાહી ઈરાન સ્થાપિત કરશે જ્યાં માનવ અધિકારોનું સન્માન કરવામાં આવશે.

મંગળવારે કેનબેરામાં એક પત્રકાર પરિષદમાં અલ્બેનીઝે કહ્યું, “અમે ઈરાનના લોકો સાથે ઉભા છીએ જેઓ દમનકારી શાસન સામે લડી રહ્યા છે.” તેમણે કહ્યું, “મને આશા છે કે લોકો ખામેનીને દૂર કરશે.” વિદેશ પ્રધાન પેની વોંગે કહ્યું કે વર્તમાન ઈરાની સરકાર પાસે કોઈ કાયદેસરતા નથી અને તે સત્તા ટકાવી રાખવા માટે પોતાના નાગરિકોની હત્યા કરી રહી છે.

આ પણ વાંચોઃસુરતમાં કાલે ઉત્તરાણના પર્વને લીધે બીઆરટીએસ બસ સેવા બંધ રહેશે

Exit mobile version