Site icon Revoi.in

ડાયબિટીસમાં આંબાના પાન પણ ખુબ ફાયદાકારક, જાણો અન્ય ફાયદા

Social Share

ઉનાળામાં ફળોના રાજા કેરીને આરોગવી તમામને ગલે છે. કેરી સ્વાદ વધારવાની સાથે આરોગ્ય માટે ફાયદાકારક હોવાનું મનાય છે. કેરીની સાથે આંબાના પતા પણ આરોગ્ય માટે લાભદાયી માનવામાં આવી છે. તેમાં વિટામીન A, C અને B ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને ઔષધીય ગુણો પણ જોવા મળે છે, જે ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે.

ડાયાબિટીસમાં ફાયદાકારકઃ આંબાના પાનનું સેવન ડાયાબિટીસમાં ફાયદાકારક સાબિત થાય છે. આ પાનમાં ટેનીન હોય છે જે પ્રારંભિક ડાયાબિટીસને ઠીક કરવામાં મદદરૂપ થાય છે. એવામાં તમે આંબાના પાનને કાચા ચાવી શકો છો અને આ પાનને સૂકવીને પાવડર બનાવીને તેનું સેવન પણ કરી શકાય છે. તમે આ પાનને પાણીમાં ઉકાળી શકો છો અને પછી પાણીને ગાળીને પી શકો છો. પણ આ સાથે એલોપથી દવા પણ લેવાની રાખવી જરૂરી છે.

પેટ સંબંધિત સમસ્યાઓમાં ઉપયોગીઃ પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે આંબાના પાનનું સેવન પણ કરી શકાય છે. આ માટે આંબાના પાનને આખી રાત નવશેકા પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે આ પાણીને ખાલી પેટ પીવો. આમ કરવાથી પેટમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જશે અને શરીરની સફાઈ પણ થશે. આનાથી ન માત્ર પેટ સ્વસ્થ રહે છે પણ સ્કિન પણ સુધરે છે.

વજન ઘટાડવામાં મદદરૂપઃ જો તમે નિયમિત રીતે આંબાના પાંદડાની ચા પીતા હોવ તો તે તમારા વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. તે કુદરતી ચયાપચય બૂસ્ટર છે. આ પાંદડા પાચન સુધારવામાં મદદ કરે છે, જેના કારણે શરીર ખોરાકને સારી રીતે પચાવવામાં સક્ષમ બને છે.

બ્લડ પ્રેશર ઓછું થાય છેઃ કેરીના પાન પણ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે. આ પાનના હાઈપોટેન્સિવ ગુણધર્મોને લીધે, તે બ્લડ પ્રેશર ઘટાડવામાં અસરકારક છે. પરંતુ આ સાથે બ્લડ પ્રેશરની એલોપથી દવાઓ પણ ચાલુ રાખવી હિતાવહ છે.

એન્ઝાઈટી ઘટાડવામાં અસરકારકઃ ઘણા લોકોને એન્ઝાઈટીની સમસ્યા હોય છે. એન્ઝાઈટી થવાથી વ્યક્તિને શરીરમાં અસ્વસ્થતાનો અનુભવ થાય છે અને શું કરવું અને શું નહીં તે સમજાતું નથી. આ સ્થિતિને નિયંત્રિત કરવામાં મદદ આંબાના પાન મદદ કરે છે. ન્હાવાના પાણીમાં આંબાના પાન નાખો. આ પાણીથી સ્નાન કરવાથી શરીર તાજગી અને હળવાશ અનુભવે છે અને એન્ઝાઈટી ઓછી કરવામાં મદદ કરી શકે છે.

શરદી દૂર થશેઃ શરદીની સ્થિતિમાં પણ આંબાના પાનનો ઉપયોગ કરી શકાય છે. શરદી કે શ્વસનતંત્ર સંબંધિત સમસ્યાઓમાં આંબાના પાન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ પાનને પાણીમાં ઉકાળીને પીવાથી શરદીની સમસ્યામાં રાહત મળે છે. તમે આંબાના પાનનું પાણી પણ ગરમ કરીને તેમાં એક ચમચી મધ ઉમેરીને ચાની જેમ પી શકો છો.