Site icon Revoi.in

મન કી બાત: તમે વેક્સિન લીધી કે નહીં, મારી માતાએ પણ વેક્સિનના બંને ડોઝ લીધા

Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ‘મન કી બાત’ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું. વડાપ્રધાન મોદીનો આજે ‘મન કી બાત’નો 78મો એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો. દેશને સંબોધન કરતાં મોદીએ કહ્યું, ‘વાત ટોક્યો ઓલિમ્પિકની થઈ રહી હોય, તો મિલ્ખા સિંહ જેવા મહાન ખેલાડીને કોણ ભૂલી શકે છે. થોડાંક દિવસ પહેલાં જ કોરોનાથી તેમનું નિધન થયું હતું, જ્યારે તેઓ હોસ્પિટલમાં હતા ત્યારે મને તેમની સાથે વાત કરવાનો મોકો મળ્યો હતો.’

તેમણે રસીકરણ અંગે જણાવ્યું કે, વેક્સિન ન લેવી એ ખૂબ ઘાતક સાબિત થઇ શકે છે. મે અને મારી માતાએ વેક્સિનના બંને ડોઝ લઇ લીધાં છે. PM મોદીએ મધ્યપ્રદેશનાં બૈતૂલ જિલ્લાનાં નિવાસી એક ગ્રામીણ સાથે વાત કરી અને રસીકરણ અંગે સવાલ કર્યા. ગ્રામીણની વેક્સિન ન લગાવવાની વાત સાંભળીને પીએમ મોદીએ જણાવ્યું કે, ‘મે અને મારી માતાએ વેક્સિનના બંને ડોઝ લગાવી દીધા છે’. તમે પણ વેક્સિન લગાવો.

જો કોઇ એમ કહી રહ્યું છે કે, કોરોના ચાલ્યો ગયો તો એ ભ્રમમાં ના રહો. કોરોનાથી બચવાનાં બે જ રસ્તા છે. એક તો વેક્સીનેશન અને બીજુ માસ્ક અને કોરોના ગાઇડલાઇન મુજબ ફોલો કરવામાં આવતા પ્રોટોકોલનું પાલન કરો.

આપણે પ્રથમ અને બીજી લહેરમાં પણ સંપૂર્ણ ઉત્સાહ સાથે લડ્યાં હતાં અને આ વખતે પણ વાયરસ સામે ચાલી રહેલી લડાઇમાં ભારત વિજયી બનશે.