Site icon Revoi.in

ભારતને વીજળી વેચીને નેપાળને 6 મહિનામાં 15 અરબ રૂપિયાથી વધુનો નફો થયો

Social Share

નવી દિલ્હીઃ નેપાળ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીએ છેલ્લા છ મહિનામાં ભારતમાં વીજળી વેચીને અરબ રૂપિયાથી વધુનો નફો કર્યો છે. આ નફો ગયા વર્ષના સમાન સમયગાળા કરતા રૂ. 5 અરબ વધુ છે.

નેપાળ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટી દ્વારા આજે જાહેર કરવામાં આવેલા ડેટા દર્શાવે છે કે, ગત નાણાકીય વર્ષમાં ઓથોરિટીનો કુલ નફો 12 અરબ રૂપિયા હતો, જ્યારે આ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં જ નફો 15 અરબ રૂપિયાના આંકડાને પાર કરી ગયો છે.

ગયા નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં લગભગ રૂ. 10 અરબનો નફો થયો હતો. આ રીતે, આ વખતે ઓથોરિટીએ પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં જ 5 અરબ રૂપિયાનો વધુ નફો કર્યો છે.

ઓથોરિટીના આંકડા સાર્વજનિક કરતાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કુલમન ઘિસિંગે કહ્યું હતું કે, ઓથોરિટીએ સરકાર અને ખાનગી કંપનીઓ વતી ભારતને વીજળી વેચીને આ નફો મેળવ્યો છે. ઘિસિંગે કહ્યું કે ભારતની નવી ઉર્જા નીતિને કારણે નેપાળની મોટાભાગની ખાનગી વીજ કંપનીઓને રિયલ ટાઈમમાં વીજળી વેચવાની સુવિધા મળી છે, જેના કારણે ઓથોરિટીનો નફો વધ્યો છે.