1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારતને વીજળી વેચીને નેપાળને 6 મહિનામાં 15 અરબ રૂપિયાથી વધુનો નફો થયો
ભારતને વીજળી વેચીને નેપાળને 6 મહિનામાં 15 અરબ રૂપિયાથી વધુનો નફો થયો

ભારતને વીજળી વેચીને નેપાળને 6 મહિનામાં 15 અરબ રૂપિયાથી વધુનો નફો થયો

0
Social Share

નવી દિલ્હીઃ નેપાળ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીએ છેલ્લા છ મહિનામાં ભારતમાં વીજળી વેચીને અરબ રૂપિયાથી વધુનો નફો કર્યો છે. આ નફો ગયા વર્ષના સમાન સમયગાળા કરતા રૂ. 5 અરબ વધુ છે.

નેપાળ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટી દ્વારા આજે જાહેર કરવામાં આવેલા ડેટા દર્શાવે છે કે, ગત નાણાકીય વર્ષમાં ઓથોરિટીનો કુલ નફો 12 અરબ રૂપિયા હતો, જ્યારે આ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં જ નફો 15 અરબ રૂપિયાના આંકડાને પાર કરી ગયો છે.

ગયા નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં લગભગ રૂ. 10 અરબનો નફો થયો હતો. આ રીતે, આ વખતે ઓથોરિટીએ પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં જ 5 અરબ રૂપિયાનો વધુ નફો કર્યો છે.

ઓથોરિટીના આંકડા સાર્વજનિક કરતાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કુલમન ઘિસિંગે કહ્યું હતું કે, ઓથોરિટીએ સરકાર અને ખાનગી કંપનીઓ વતી ભારતને વીજળી વેચીને આ નફો મેળવ્યો છે. ઘિસિંગે કહ્યું કે ભારતની નવી ઉર્જા નીતિને કારણે નેપાળની મોટાભાગની ખાનગી વીજ કંપનીઓને રિયલ ટાઈમમાં વીજળી વેચવાની સુવિધા મળી છે, જેના કારણે ઓથોરિટીનો નફો વધ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code