Site icon Revoi.in

રાજકોટઃ સુદાનથી રેસ્ક્યુ કરાયેલા 150 વ્યક્તિઓનું પરિવારજનો સાથે મિલન, લાગણીસરભ દ્રશ્યો સર્જાયા

Social Share

અમદાવાદઃ સુદાનમાં ગૃહયુદ્ધની પરિસ્થિતિ ઉભી થઈ છે, જેથી અહીં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે મોદી સરકાર દ્વારા ઓપરેશન કાવેર હાથ ધરવામાં આવ્યું છે. ઓપરેશન કાવેરી મારફતે અત્યાર સુધીમાં 3 હજારથી વધારે ભારતીયોને સહીસલામત પરત લાવવામાં આવ્યાં છે. દરમિયાન તાજેતરમાં 230થી વધારે ભારતીયો હવાઈ માર્ગે અમદાવાદ આવ્યાં હતા. જે પૈકી 150 જેટલા રાજકોટવાસીઓને ખાસ મારફતે રાજકોટ મોકલવામાં આવ્યાં હતા. રાજકોટ બસપોર્ટ ઉપર આ બસ આવી પહોંચતા 150 જેટલા રાજકોટવાસીઓના પરિવારજનોમાં ખુશી ફેલાઈ હતી. તેમજ લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

સુદાનની પ્રવર્તમાન પરિસ્થિતમાં ફસાયેલા ભારતીયોને રેસ્ક્યુ કરી પરત લાવવા ભારત સરકાર દ્વારા ”ઓપરેશન કાવેરી” શરુ કરાવામાં આવ્યું છે. જે અંતર્ગત અમદાવાદ ખાતે પહોંચેલા યાત્રીકોને ગુજરાત સરકાર દ્વારા તેઓને ઘર સુધી પહોંચાડવા જી.એસ.આર.ટી.સી દ્વારા પરિવહનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી ચાર બસોમાં રાજકોટના 148 લોકોને રાજકોટ બસપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યારે બે વૃધ્ધ પેસેન્જરોને એમ્બ્યુલન્સ મારફતે ઘરે પહોંચાડવામાં આવ્યા છે.

ઢોલ નગારાના તાલ વચ્ચે નિવાસી અધિક કલેક્ટર એસ.જે.ખાચર અને પ્રાંત અધિકારી સંદિપ વર્મા દ્વારા યાત્રીકોને હાર પહેરવી, પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. એમ્બ્યુલન્સ મારફતે ઘરે પહોંચાડવામાં આવેલા બે વૃધ્ધ પેસેન્જરો પૈકી 86 વર્ષીય જ્યોત્સનાબેન કોઠારીનું સ્વાગત મામલતદાર જાનકી પટેલ તેમજ 103 વર્ષના લાભુબેન બાટવીયાનું સ્વાગત મામલતદાર  કે.એ.કરમટા દ્વારા કરવામાં આવ્યું હતું. સુદાનથી પરત ફરતા યાત્રીઓની વતન પરત ફરતા તેમના આપ્તજનો સાથે મિલન થતા લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતાં.

ભવનીશ હર્ષદભાઈ વાલાણીએ જણાવ્યું હતું કે, અમારા પરિવારના 12 વ્યક્તિઓ સાથે અમે શાંતીથી રાજકોટ પહોંચી ગયા છીએ. અમને વિદેશ મંત્રાલય અને  રાજ્ય સરકાર દ્વારા સુંદર વ્યવસ્થા કરી આપી  હતી તે બદલ તેમનો આભાર શબ્દોમાં વ્ય્ક્ત કરી શકાય તેમ નથી.