નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: ભારતીય ટીમ 2026 T20 વર્લ્ડ કપમાં નામિબિયા સામે ટકરાશે. ત્યારબાદ 15 ફેબ્રુઆરીએ ભારતીય ટીમ પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાશે.
આ મોટી મેચ પહેલા, ભારતીય ચાહકો માટે સારા સમાચાર છે. ટીમના ઓપનિંગ બેટ્સમેન, અભિષેક શર્માને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તે ફરીથી ભારતીય ટીમમાં જોડાઈ ગયો છે. આવી સ્થિતિમાં, જો તે નામિબિયા સામે આરામ કરે છે, તો તે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરી શકે છે.
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો
અભિષેકને અગાઉ પેટમાં ચેપ લાગવાથી દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને તાવ પણ હતો. જો અભિષેક નામિબિયા સામેની મેચમાંથી બહાર થઈ જાય, તો સંજુ સેમસન તેની જગ્યાએ રમી શકે છે. અમેરિકા સામેની છેલ્લી મેચમાં અભિષેક બેટિંગમાં નિષ્ફળ ગયો હતો, તે પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.
અભિષેક માટે રમવું જરૂરી
પાકિસ્તાન સામેની મહત્વપૂર્ણ મેચમાં અભિષેક શર્માનું પ્રદર્શન ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઓપનિંગ બેટ્સમેન હાલમાં જોરશોરથી બોલિંગ કરી રહ્યો છે. જો અભિષેકનું બેટ ફોર્મમાં હોય, તો તે ફક્ત થોડા બોલમાં જ મેચનું પરિણામ પલટી શકે છે. ભારતીય ઓપનરે ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણીમાં બેટિંગથી ધમાલ મચાવી હતી. તેણે પાંચ ઇનિંગ્સમાં 45.50 ની સરેરાશ અને 249.32 ના સ્ટ્રાઇક રેટથી 182 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, વિસ્ફોટક બેટ્સમેને 16 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા હતા.
વધુ વાંચો: સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બરૈયાએ કર્યો આપઘાતનો પ્રયાસ, Dysp સામે આક્ષેપ

