Site icon Revoi.in

પ્રધાનમંત્રીએ ભારત રત્ન પુરસ્કાર વિજેતા કર્પૂરી ઠાકુરના પરિવારજનોને મળ્યા

Social Share

 

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ભારત રત્ન પુરસ્કાર વિજેતા કર્પૂરી ઠાકુરના પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે, “ભારત રત્નથી સન્માનિત જાહેર નેતા કર્પૂરી ઠાકુર જીના પરિવારના સભ્યોને મળીને ખૂબ આનંદ થયો. કર્પૂરીજી સમાજના પછાત અને વંચિત વર્ગના મસીહા રહ્યા છે, જેમનું જીવન અને આદર્શો દેશવાસીઓને પ્રેરણા આપતા રહેશે.