Site icon Revoi.in

કોરોનામાંથી સાજા થયેલા લોકોમાં જ્ઞાનાત્મક ક્ષમતામાં ઘટાડો થયાનું અભ્યાસમાં ખૂલ્યું

Social Share

નવી દિલ્હીઃ COVID-19 ના વૈશ્વિક કેસો મોટાભાગે નિયંત્રણમાં હોવાનું મનાઈ રહ્યું છે, તેમ છતાં ચેપગ્રસ્ત લોકોમાં લોંગ કોવિડનું જોખમ હજુ પણ આરોગ્ય નિષ્ણાતો માટે ગંભીર ચિંતાનું કારણ છે. કોરોના સંબંધિત ઘણા સંશોધનોમાં એવું કહેવામાં આવ્યું છે કે, SARS-CoV-2 વાયરસે લાંબા ગાળે શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને હૃદય અને ફેફસાના સ્વાસ્થ્ય પર તેની ગંભીર આડઅસર જોવા મળી છે. તાજેતરના અભ્યાસો પણ કોરોનાને કારણે મગજ સંબંધિત સમસ્યાઓ વિશે ચેતવણી આપી રહ્યા છે. સંશોધકોએ જણાવ્યું હતું કે, ઘણા લોકો જેઓ કોરોના ચેપનો ભોગ બન્યા છે તેઓ રોગમાંથી સાજા થયા પછી જ્ઞાનાત્મક ક્ષમતામાં ઘટાડો અનુભવી રહ્યા છે.

તાજેતરમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં, નિષ્ણાતોની એક ટીમે જણાવ્યું હતું કે, જે લોકો કોવિડ-19માંથી સાજા થયા છે તેઓએ એક વર્ષ પછી આઈક્યુ સ્તરમાં ઓછામાં ઓછા 3-પોઈન્ટનો ઘટાડો દર્શાવ્યો છે. જો કે આ ઘટાડો વધુ નથી, પરંતુ આરોગ્ય નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે મોટી વસ્તીમાં મગજ સંબંધિત જોખમો અંગે સજાગ રહેવાની જરૂર છે. મગજની કામગીરીમાં ઘટાડો જીવનની ગુણવત્તા પર પણ નકારાત્મક અસર કરી શકે છે. ધ ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં પ્રકાશિત આ સંશોધન અનુસાર, કોરોના ચેપના હળવા અને ગંભીર બંને કેસ ધરાવતા લોકોમાં જ્ઞાનાત્મક ઘટાડો જોવા મળે છે. જે લોકોમાં વધુ ગંભીર લક્ષણો હતા અથવા હોસ્પિટલમાં સઘન સંભાળમાં સારવારની આવશ્યકતા હતી, તેમના IQમાં 9-પોઇન્ટ સુધીનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. જે લોકો ચેપમાંથી સાજા થયા છે તેમની યાદશક્તિ, તર્ક અને પરિસ્થિતિઓનો સરળતાથી સામનો કરવાની ક્ષમતામાં ઘટાડો થયો છે.

ઈમ્પિરિયલ કોલેજ લંડનમાં હાથ ધરાયેલા આ અભ્યાસ માટે સંશોધકોએ આઠ લાખ પુખ્ત વયના લોકોનો સમાવેશ કર્યો હતો. સહભાગીઓની બૌદ્ધિક ક્ષમતા ચકાસવા માટે ઓનલાઈન મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. એકંદરે, 141,583 સહભાગીઓએ ઓછામાં ઓછું એક કાર્ય પૂર્ણ કર્યું જ્યારે 112,964 એ તમામ આઠ કાર્યો યોગ્ય રીતે કર્યા. જે લોકો કોરોનાનો ભોગ બન્યા ન હતા તેમની સાથે કરવામાં આવેલા તુલનાત્મક અભ્યાસમાં, સંક્રમિતોમાં બૌદ્ધિક ક્ષમતામાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો. ચેપનું સ્તર ધરાવતા લોકોમાં, IQ માં ઘટાડોનું સમાન પ્રમાણ નોંધવામાં આવ્યું હતું.

સંશોધકોએ જણાવ્યું હતું કે, જે લોકો રોગચાળાની શરૂઆતમાં કોરોનાના મૂળ વાયરસ અથવા B.1.1.7 વેરિઅન્ટથી સંક્રમિત થયા હતા તેઓને ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત લોકોની સરખામણીમાં ઓછી બૌદ્ધિક ક્ષમતાની સમસ્યા થવાની શક્યતા વધુ હતી. વધુમાં, જે લોકોએ બે કે તેથી વધુ રસીકરણ મેળવ્યા પછી કોવિડ-19 મેળવ્યું હતું તેઓએ રસી ન અપાઈ હોય તેવા લોકો કરતાં વધુ સારી જ્ઞાનાત્મક કામગીરી દર્શાવી હતી.

Exit mobile version