Site icon Revoi.in

ઉત્તરાખંડઃ ચારધામ યાત્રા માટે 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધાયા

Social Share

નવી દિલ્હીઃ આ વખતે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં કુલ 15.13 લાખ  શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે GMVN ગેસ્ટ હાઉસનું બુકિંગ આઠ કરોડને વટાવી ગયું છે. પ્રવાસન મંત્રીનું કહેવું છે કે, આ વખતે ચારધામ યાત્રા અગાઉની યાત્રાનો રેકોર્ડ તોડશે.

પ્રવાસન મંત્રી સતપાલ મહારાજે કહ્યું હતું કે, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ચારધામ યાત્રા પર આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે. જે રીતે મોટી સંખ્યામાં યાત્રિકો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે અને યાત્રાના રૂટ પર આવેલા GMVN ગેસ્ટ હાઉસના બુકિંગમાં યાત્રા શરૂ થાય તે પહેલા જ સતત વધારો થઈ રહ્યો છે તે જોતા આ વખતે પણ ચારધામ યાત્રાનો આંકડો છેલ્લો આંક વટાવે તેવી શક્યતા છે. વર્ષનો આંકડો 56.31 લાખ ભક્તોનો રેકોર્ડ તોડશે.

મંત્રી સતપાલ મહારાજે જણાવ્યું હતું કે, ચારધામ યાત્રા પહેલા 22 ફેબ્રુઆરીથી યાત્રાના માર્ગો પર આવેલા GMVNના ગેસ્ટ હાઉસ માટે ભક્તોએ 82588092.00 (આઠ કરોડ પચીસ લાખ 88 હજાર 92) બુકિંગ કરાવ્યા છે અને આ આંકડો સતત વધી રહ્યો છે.

ચારધામ યાત્રા માટે આવનારા શ્રદ્ધાળુઓનું રજીસ્ટ્રેશન 15મી એપ્રિલ 2024થી શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 1512993 તીર્થયાત્રીઓએ પોતાની નોંધણી કરાવી છે જેમાં 277901 ગંગોત્રી, 253883 યમુનોત્રી, 521052 કેદારનાથ, 436688 બદ્રીનાથ અને 23469 તીર્થયાત્રીઓ હેમકુંડ સાહિબ માટે સામેલ છે.

તેમણે કહ્યું હતું કે, પ્રવાસીઓ અને યાત્રિકોને દેવતાઓના દર્શન દરમિયાન લાંબી કતારોમાં અને લાંબા સમય સુધી રાહ જોવી ન પડે તે માટે ચારધામ યાત્રામાં ધામોના દર્શન માટે ટોકન/સ્લોટની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.

ચારધામ યાત્રાને ધ્યાનમાં રાખીને પર્યટન મંત્રી મહારાજે દેહરાદૂનમાં ઉત્તરાખંડ પ્રવાસન વિકાસ પરિષદના મુખ્યાલયમાં રાજ્ય સ્તરીય કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે, જે યાત્રાના સમગ્ર સમયગાળા દરમિયાન કાર્યરત રહેશે. દરરોજ સવારે 7 થી રાત્રીના 10 વાગ્યા સુધી કાર્યરત રહેતો કંટ્રોલરૂમ પણ હાલમાં કાર્યરત છે.