Site icon Revoi.in

ક્યા સમયે બ્રેકફાસ્ટ કરવું યોગ્ય છે અને ક્યા સમયે નહીં? ઘણીવાર લોકો કરે છે આવી ભૂલો

Social Share

દરરોજ સવારે બ્રેકફાસ્ટ કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આ આપણા શરીર અને મગજ બંન્ને માટે ગાભદાયક માનવામાં આવે છે. રાતભર સુયા પછી સવારે તમારા શરીરને ઉર્જાની જરૂરત હોય છે. જેથી સવારથી સાંજ સુધી વગર થાકે કામ કરી શકે. માટે દરરોજ સવારે નાસ્તો કરવો ખૂબ જરૂરી માનવામાં આવે છે. પણ ઘણા લોકોને નાસ્તો કરવાનો સરખો સમય નથી ખબર. જેના લીધે તેમને કેટલીક દિક્કતોનો સામનો કરવો પડે છે.

તમને પણ બ્રેકફાસ્ટનો યોગ્ય સમય ખબર નથી તો તમને જણાવીશું કે નાસ્તો કરવાનો યોગ્ય સમય ક્યારે છે. સવારે વહેલો નાસ્તો કરો તો દિવસ પૂરો થાય છે.પણ જો નાસ્તો સરખા સમયે લેવામાં આવે તો શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સવારે જાગવાના 1 થી 2 કલાકમાં નાસ્તો કરવાનો યોગ્ય સમય છે. નાસ્તો ખાવાથી શરીર માટે અસંખ્ય ફાયદા થાય છે.

તે આપણા મગજને તેજ બનાવે છે અને આપણું વજન પણ કંટ્રોલમાં રાખે છે. આ સિવાય નાસ્તો કર્યા પછી આપણું મૂડ સારુ થવા લાગે છે. નાસ્તો યોગ્ય સમયે લેવામાં આવે તો ડાયાબિટીસના દર્દીઓનું શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

સવારનો નાસ્તો તમારા સ્વાસ્થ્ય અને શરીર બંને માટે મહત્વપૂર્ણ છે. પણ ધ્યાન રાખો કે નાસ્તો છોડવો કે નાસ્તો મોડો કરવો પાચનતંત્રને અસર કરી શકે છે. વ્યક્તિ આખો દિવસ ચીડચિડાપણું અને કમજોરી મહેસુસ થવા લાગે છે. તેથી યોગ્ય સમયે નાસ્તો કરવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.