Site icon Revoi.in

ઉનાળામાં કેમ વધી રહ્યા છે બ્રેન સ્ટ્રોકના કેસ? જાણો કારણ અને બચવાના ઉપાય

Social Share

તડકામાં બહાર નીકળતા પહેલા તમારે કેટલીક સાવચેતીઓ ધ્યાનમાં રાખવાની જરૂર છે. ઉનાળાની ઋતુમાં હીટ સ્ટ્રોકનું જોખમ ખુબ વધી જાય છે.

છેલ્લા કેટલાક દિવસોમાં હીટ સ્ટ્રોક દરમિયાન બ્રેઈન સ્ટ્રોકથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. ડોક્ટરના મતે બીપી અને ડાયાબિટીસના દર્દીઓમાં બ્રેઈન સ્ટ્રોકના કેસ ઝડપથી વધી રહ્યા છે.

તેની પાછળનું સૌથી મોટું કારણ છે તાપમાનમાં અચાનક ફેરફાર એટલે કે જો તમે લાંબા સમય સુધી ACમાં રહ્યા પછી સીધા સૂર્યપ્રકાશમાં જાઓ છો તો શરીરના તાપમાનમાં ફેરફાર થાય છે. તેનાથી બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.

બ્રેઈન સ્ટ્રોકનું બીજું સૌથી મોટું કારણ મહિલાઓની સંખ્યામાં વધારો છે. આ પ્રકારની સમસ્યા 50-60 વર્ષની મહિલાઓમાં જોવા મળે છે.

હાઈ બ્લડ પ્રેશરથી પીડાતી મહિલાઓને હીટ સ્ટ્રોકના કારણે બ્રેઈન સ્ટ્રોકનું જોખમ પણ વધારે હોય છે.

Exit mobile version