1. Home
  2. Tag "case"

યુટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેવી વધી, સ્નેક વેનમ કેસમાં 1200 પાનાની ચાર્જશીટ દાખલ

યુટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેલીઓ ખતમ થવાની નામ નથી લઈ રહી. 50,000 રૂપિયાના બેલ બોન્ડ પર જેલમાંથી છૂટ્યા પછી પણ એલ્વિશ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. સ્નેક વેનમ કેસમાં એક વ્યક્તિને જામીન મળી છે. રેવ પાર્ટી અને સાપના ઝેર સપ્લાય કેસમાં એક નવું અપડેટ સામે આવ્યું છે. નોઈડા પોલીસે એલ્વિશ યાદવ સહિત 8 બીજા આરોપીઓ […]

હવે એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે ડેબિટ કાર્ડની પણ જરૂર રહેશે નહીં

નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની સૌથી મોટી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ રવિવારે પોતાની ડિજિટલ બેન્કિંગ એપ્લિકેશન YONO માં મોટો સુધારો કરી ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ સુવિધાના શ્રીગણેશ કરી દીધા છે. પરિણામે હવે એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે ડેબિટ કાર્ડની પણ જરૂર રહેશે નહીં. આ સુવિધાની શરૂઆત કરતાં SBI ના ચેરમેન દિનેશ ખારાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું […]

વિશ્વ મેલેરિયા દિવસઃ અમદાવાદમાં મેલેરિયાના 1 વર્ષમાં 1281 કેસ નોંધાયાં

અમદાવાદઃ દર વર્ષે તા. 25 એપ્રિલ ‘વિશ્વ મેલેરિયા દિવસ’ તરીકે ઉજવાય છે આ વર્ષની થીમ ‘Time to deliver zero malaria: invest, innovate, implement” નિયત થઈ છે. મેલેરિયા સહિત ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા એ મચ્છરો દ્વારા ફેલાતા વાહકજન્ય રોગો છે. ચોમાસામાં મચ્છરોની ઉત્પત્તિની શક્યતાઓ વધતા આ રોગોના ઉપદ્રવની શક્યતા વધે છે. અમદાવાદ શહેરમાં એક વર્ષમાં મેલેરિયાના 1281 […]

મોદી અટકના કેસમાં રાહુલ ગાંધીને ન મળી રાહત, સજા પર સ્ટેની અરજી કોર્ટે ફગાવી

અમદાવાદઃ મોદી સરનેમ મામલે માનહાનીના કેસમાં અદાલતે બે વર્ષની સજા ફરમાવી હતી. જેની ઉપર સ્ટેની માંગણી સાથે રાહુલ ગાંધી દ્વારા અરજી કરવામાં આવી હતી. સુરતની સેશન્સ અદાલતે સુનાવણીના અંતે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી હતી. અદાલતના આદેશને હવે હાઈકોર્ટમાં પડકારવાની તૈયારીઓ શરુ કરી છે. રાહુલ ગાંધીની લીગલ ટીમ દ્વારા દસ્તાવેજી કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. […]

ચિલીમાં પ્રથમવાર માનવમાં બર્ડ ફ્લૂનો કેસ આવ્યો સામે

53 વર્ષની વ્યક્તિમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓની તપાસ કરાઈ સરકાર બર્ડ ફ્લૂના સ્ત્રોતની તપાસ આરંભી નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં ફરી એકવાર કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. ભારતમાં કોરોનાની સાથે ઈન્ફલ્યુએન્ઝાના કેસ પણ સામે આવી રહ્યાં છે. દરમિયાન ચિલીમાં પ્રથમવાર એક વ્યક્તિ બર્ડ ફ્લૂ સંક્રમિત હોવાની ઘટના […]

પંચમહાલમાં તોફાનોના કેસમાં 22 આરોપીઓનો પુરાવાના અભાવે છુટકારો

પંચમહાલ :ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરની અદાલતે રાજ્યમાં 2002ના ગોધરા હત્યાકાંડ પછી સર્જાયેલા તોફાનોના કેસમાં 22 આરોપીઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપીને નિર્દોશ છોડી મુકવા આદેશ કર્યો હતો. બનાવના દિવસે તોફાની ટોળાએ બે બાળકો સહિત લઘુમતી સમુદાયના 17 સભ્યોની હત્યાના કરી હતી. તેમજ તેમની તોડફોડ કરીને મિલકતને નુકશાન પહોંચાડ્યું હતું. બચાવ પક્ષના વકીલએ જણાવ્યું હતું […]

કોવિડ-19: દેશમાં છેલ્લા 24 કલાકમાં 175 નવા કેસ નોંધાયા,સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 2,570 થઈ

દિલ્હી:ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના 175 નવા કેસ નોંધાયા બાદ દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4.46 કરોડ થઈ ગઈ છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 2,570 થઈ ગઈ છે.બુધવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, દેશમાં ચેપને કારણે અત્યાર સુધીમાં 5,30,707 લોકોના મોત થયા […]

ભારતમાં 17 વર્ષમાં મની લોન્ડરિંગના પાંચ હજારથી વધારે કેસ નોંધાયાં

નવી દિલ્હીઃ દેશમાં મની લોન્ડરિંગના ગુનાને અટકાવવા માટે 17 વર્ષ પહેલા પ્રિવેન્‍શન ઓફ મની લોન્‍ડરિંગ એક્‍ટ લાગુ કરવામાં આવ્‍યો હતો. આ કાયદા હેઠળ અત્યાર સુધીમાં પાંચ હજારથી વધારે કેસ નોંધવામાં આવ્યાં છે. આ કેસમાં અત્યાર સુધીમાં 23 લોકોને જ દોષિત ઠેરાવામાં આવ્યા હતા. કેન્‍દ્રીય નાણા રાજય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્‍યું હતું […]

ગુજરાતઃ કોમી તોફાનો અંગે ખોટા દસ્તાવેજના કેસમાં પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટની ધરપકડ

અમદાવાદઃ ગુજરાતમાં વર્ષ 2002માં ફાટી નીકળેલા કોમી તોફાનોને લઈને બોગસ દસ્તાવેજ અને ફંડની હેરાફેરીમાં પોલીસે અગાઉ કહેવાતી સામાજીક કાર્યકર તીસ્તા સેતલવાડ અને પૂર્વ ઉચ્ચ પોલીસ અધિકારી આર.બી.શ્રીકુમારની ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસે પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરન્ટના આધારે બનાસકાંઠાની જેલમાંથી ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં વર્ષ 2002 […]

ગુજરાત યુનિવર્સિટીના તોડફોડના કેસમાં 34 વર્ષે ચુકાદો, 50 વિદ્યાર્થીઓનો નિર્દોષ છૂટકારો

અમદાવાદ: અદાલતોમાં કેસનો એટલો બધો ભરાવો થયો છે, કે ચુકાદો આવતા ક્યારેક વર્ષો લાગી જતા હોય છે. વર્ષ 1988માં ગુજરાત યુનિવર્સિટીમાં ધરણા યોજી કુલપતિની ઓફિસની બહાર તોડફોડ કરવાના એક કેસમાં એલડી એન્જિનિયરિંગ કોલેજના 50 વિદ્યાર્થીઓ 34 વર્ષે નિર્દોષ છૂટકારો થયો છે. નવાઈની વાત એ છે કે આ કેસમાં વિદ્યાર્થીઓ સામે ગવાહ તરીકે માત્ર એક પોલીસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code