અમદાવાદઃ વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ઉપરાંત રોયલ અને મોભાદાર પ્રાણી છે, દર વર્ષે 29મી જુલાઈએ વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ’-‘ગ્લોબલ ટાઈગર ડે’ ઉજવવામાં આવે છે. 2018 ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કુલ 2967 વાઘ અસ્તિત્વ ધરવતા હોવાનું નોંધાયું છે. ગુજરાતમાં 80ના દાયકા પહેલા ડાંગ, નર્મદા અને સાબરકાંઠા જિલ્લામાં વાઘ વસવાટ કરતા હતા. જો કે, હાલ ગુજરાતમાં વાઘ ઉપલબ્ધ નથી, પરંતુ સરહદી જિલ્લા મહિસાગર ખાતે અગાઉ વાઘ દેખાયો હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો હતો.
આબોહવા પરિવર્તન મંત્રાલયના નેજા હેઠળ વર્ષ 1973થી કાર્યરત ‘પ્રોજેક્ટ ટાઈગર’નો હેતુ વાઘની સંખ્યા વધારવા ઉપરાંત તેમના ખોરાકની ઉપલબ્ધિ માટે સલામત અને આદર્શ પર્યાવરણીય વાતાવરણ ઉભું કરવાનો છે.
વર્ષ 1983માં દેશના 15મા વાઘ પ્રોજેક્ટ તરીકે જાહેર કરાયેલા અરૂણાચલ પ્રદેશના ચાંગલાંગ જિલ્લામાં આવેલું નામદફા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વ ખાતે વર્ષ 2018ની ગણતરી અનુસાર 11 વાઘ નોંધાયા હતા.
અહીં તેઓ ફિલ્ડ બાયોલોજીસ્ટ તરીકે વાઘનું નિરીક્ષણ કરી ઉદ્યાનના ઉત્કૃષ્ઠ સંચાલનની સુવિધા માટે સંશોધન કરી રહ્યા છે. અહીના ખરબચડા, ડુંગરાળ સંરક્ષિત વિસ્તારમાં વાઘને ટ્રેક કરવા એ પડકારજનક કાર્ય છે, પરંતુ નામદફા NP અને TRના ફિલ્ડ સ્ટાફની સમર્પિત ટીમ આ ભવ્ય સંરક્ષિત વિસ્તારને બચાવવા માટે સખત મહેનત કરી રહી છે.
અહીંના લોકો સાથે કામ કરવા માટે વિશેષાધિકાર મળ્યો હોય એવી લાગણી વ્યક્ત કરી પોતાની જાતને ભાગ્યશાળી અનુભવતા હોવાનું તેઓ જણાવે છે.