અમદાવાદઃ હર્ષ સંઘવીએ CIIની યંગ ઈન્ડિયા પાથ બ્રેકર્સ સમિટ 2.0ને સંબોધતા કહ્યું કે, દરેક લોકો જે રીતે કામ કરે છે તેમાં કામમાં તે લોકો લીડર હોય છે જ, પરંતુ બસ તેને જોવાની જરૂર છે. માત્ર રાજનીતિમાં જોડાયેલા લોકો જ નેતા હોય તેવુ નથી હોતુ, અને જે લોકો માને છે કે રાજનીતિ ખરાબ વસ્તુ છે એટલી ખરાબ હોતી નથી. જે ફિલ્મ અને ટીવીમાં બતાવે તેવું હોતું નથી.
Mr. @sanghaviharsh, Home Minister
Gujarat has said to the Yi National Delegates that
"Everybody is a Leader in their own field".@CII4WR #MeinHiHunBHARAT#YiPathBreakers pic.twitter.com/xpx73UQDpU— Yi Ahmedabad (@YiAhmedabad) October 1, 2022
ગુજરાત પોલીસ દ્વારા રેકોર્ડ કરવામાં આવતી ક્રાઈમની માહિતી અને ઘટનાઓના રેકોર્ડને લઈને ગુજરાતના ગૃહમંત્રીએ કહ્યું કે ગુજરાતમાં અત્યારે ઈ-એફ.આઈ.આર પર કામ કરવામાં આવી રહ્યું છે. અને હજુ પણ ગુજરાત પોલીસ એ વિષયો પર કામ કરી રહી છે જેનાથી સામાન્ય લોકોની તકલીફ ઓછી થાય અને ક્રાઈમને ઘટાડી પણ શકાય.
ગુજરાતમાં લોકોમાં જે રીતે માનવતા અને લોકો પ્રત્યે લાગણીનો સ્વભાવ છે તેને જોઈને કોઈ પણ કહી શકે કે ગુજરાતમાં જ્યારે પણ અને કોઈ પણ પ્રકારની આફત આવે તો તેમાંથી રાજ્ય ફટાફટ બહાર નીકળી જાય છે, અને લોકોમાં એ લાગણી છે કે જ્યારે કોરોનાનો સમય હતો ત્યારે મોટાભાગના લોકોએ માનવત ધર્મ બતાવ્યો છે જેમાં તેઓએ પોતાની મદદ કરતા પહેલા બીજાને મદદ કરવાનું વિચાર્યું છે.