નવી દિલ્હી, 27 મે 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના વિવિધ ભાગોમાં જોવા મળી રહેલા વધતા તાપમાન વચ્ચે દેશભરના નાગરિકોને શક્ય તમામ સાવચેતી રાખવા વિનંતી કરી છે. મોદીએ લોકોને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા, બહાર નીકળતી વખતે સાથે પાણી રાખવા અને હવામાનની આ કપરી પરિસ્થિતિમાં અન્ય લોકોને પાણી આપીને મદદનો હાથ લંબાવવા આગ્રહ કર્યો હતો. પ્રધાનમંત્રીએ લોકોને ગરમીના કારણે થતા થાક (હીટ એક્ઝોસ્ટન) ના લક્ષણો જેવા કે ચક્કર આવવા, ઉબકા આવવા અને અતિશય થાક લાગવા પ્રત્યે સજાગ રહેવાની પણ સલાહ આપી હતી. તેમણે નાગરિકોને વિનંતી કરી હતી કે જો કોઈ વ્યક્તિ અસ્વસ્થ, નબળાઈ અનુભવે અથવા માથાના દુ:ખાવાથી પીડાતી હોય, તો તેને તાત્કાલિક કોઈ ઠંડી અને છાંયડાવાળી જગ્યાએ લઈ જઈને મદદ કરવી અને પાણી તથા ORS ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવું.
મોદીએ નોંધ્યું હતું કે અતિશય ગરમી દરમિયાન બાળકો, વૃદ્ધો અને બહાર કામ કરતા લોકો ખાસ કરીને વધુ અસુરક્ષિત હોય છે અને તેમણે ચેતવણી આપી હતી કે આ ચેતવણીના સંકેતોને અવગણવાથી હીટસ્ટ્રોક (લૂ લાગવી) થઈ શકે છે. મોદીએ લોકોને હીટવેવ દરમિયાન વૃદ્ધ માતા-પિતા, દાદા-દાદી અને પ્રિયજનોની નિયમિતપણે તબિયત પૂછવા અને તેમને હાઇડ્રેટેડ રહેવાનું યાદ અપાવો, બપોરના અતિશય ગરમીના કલાકોમાં બહાર નીકળવાનું ટાળવા તેમજ પૂરતો આરામ કરવા માટે યાદ અપાવવા હાકલ કરી હતી. ભારે હવામાન પરિસ્થિતિઓ દરમિયાન કરુણા પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ નાગરિકોને પક્ષીઓ અને પ્રાણીઓ માટે ઘરો, બાલ્કનીઓ, ટેરેસ, દુકાનો અને ઓફિસોની બહાર પાણીના કૂંડા રાખવા અપીલ કરી હતી.
નાગરિકોને પક્ષીઓ, પ્રાણીઓ અને અતિશય ગરમીથી પ્રભાવિત લોકોને મદદ કરવા અપીલ
એક્સ પર શ્રેણીબદ્ધ પોસ્ટમાં, નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “ભારતના વિવિધ ભાગોમાં આકરો ઉનાળો અને તેના કારણે ઊભી થતી સમસ્યાઓ જોવા મળી રહી છે. આ ગરમી આપણા સૌ માટે ખૂબ જ કષ્ટદાયક છે અને હું આપ સૌને શક્ય તેટલી વધુ સાવચેતી રાખવા વિનંતી કરું છું. કૃપા કરીને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખો, બહાર નીકળતી વખતે તમારી સાથે પાણી રાખો. અન્યોને પણ એક ગ્લાસ પાણી આપો. આવા હવામાનમાં, આ પ્રકારની દયા ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગરમીના કારણે થતા થાકના લક્ષણો જેમ કે ચક્કર આવવા, ઉબકા આવવા અથવા અતિશય થાક લાગવા પર નજર રાખો. જો તમારી આસપાસ કોઈ વ્યક્તિ અસામાન્ય રીતે અસ્વસ્થ, નબળાઈ અનુભવે અથવા તેને માથાનો દુ:ખાવો થાય, તો તેને તાત્કાલિક કોઈ ઠંડી અને છાંયડાવાળી જગ્યાએ લઈ જવામાં મદદ કરવી સૌથી હિતાવહ છે. તેમને પાણી, ઓઆરેસ વગેરે મળે તેની ખાતરી કરો જે તેમને મદદરૂપ થાય. અતિશય ગરમી દરમિયાન બાળકો, વૃદ્ધો અને બહાર કામ કરતા લોકો ખાસ કરીને વધુ અસુરક્ષિત હોય છે. આ ચેતવણીના સંકેતોને અવગણવાથી પરિસ્થિતિ ઝડપથી જોખમી બની શકે છે અને હીટસ્ટ્રોક પણ થઈ શકે છે. આવા હવામાનમાં, સમયસરની સંભાળ અને ધ્યાન ખૂબ જ મહત્વપૂર્ણ છે.
देश के अलग-अलग हिस्सों में तापमान लगातार बढ़ रहा है और इसके साथ ही दैनिक जीवन में गर्मी से होने वाली कई कठिनाइयां भी बढ़ रही हैं। मैं सभी देशवासियों से आग्रह करता हूं कि जितनी अधिक सावधानी बरत सकें, अवश्य बरतें। कृपया स्वयं को हाइड्रेटेड रखें, घर से बाहर निकलते समय पानी साथ रखें।…
— Narendra Modi (@narendramodi) May 27, 2026
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આ કાળઝાળ ગરમી દરમિયાન જ્યારે પણ શક્ય હોય ત્યારે ફોન કરીને વૃદ્ધ માતા-પિતા, દાદા-દાદી અને પ્રિયજનોની તબિયતના સમાચાર પૂછો. તેમને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા, બપોરના પીક અવર્સમાં બહાર નીકળવાનું ટાળવા અને શક્ય હોય ત્યારે આરામ કરવાનું યાદ અપાવો. આ અતિશય ગરમીમાં, ચાલો આપણે આપણી આસપાસના પક્ષીઓ અને પ્રાણીઓને પણ યાદ કરીએ. તમારા ઘર, બાલ્કની, ટેરેસ, દુકાનો કે ઓફિસોની બહાર રાખવામાં આવેલું પાણીનું એક નાનું કૂંડું તરસ્યા પક્ષી માટે જીવનરેખા બની શકે છે. આ મુશ્કેલ દિવસોમાં કરુણા આપણને માર્ગદર્શન આપે.

