1. Home
  2. Tag "Birds"

આ દિશામાં પક્ષીઓની તસવીર રાખવાથી ઘરની કિસ્મત બદલાશે અને આર્થિક લાભ થશે

આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે ઘરમાં લાગેલ પક્ષીઓની તસવીર વિશે વાત કરીશું.પક્ષીઓની તસવીર ઘરમાં સકારાત્મક પરિણામ લાવે છે. ઘણા લોકોને મહેનત કરવા છતાં પણ સફળતા નથી મળતી, તો આવા લોકોએ પોતાના ઘરમાં પક્ષીઓના ચિત્રો લગાવવા જોઈએ. વાસ્તુની દૃષ્ટિએ પક્ષીઓને શુભ માનવામાં આવે છે. જ્યાં પક્ષીઓ હોય તે વાતાવરણ આપોઆપ આનંદમય બની જાય છે. જો કે તમે તમારા […]

ઘોડા સહિત આ પક્ષીઓની પ્રતિમા ઘરમાં રાખવાથી બદલાઈ શકે છે તમારું ભાગ્ય

દરેક વ્યક્તિના જીવનમાં થોડી થોડી તકલીફો આવતી જ હોય છે. પરંતુ જો તમારી સમસ્યા ખતમ થવાનું નામ નથી લઈ રહી તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં વાસ્તુ દોષ છે. આપણા જીવનમાં આવતા નાના-નાના ઉતાર-ચઢાવ, મુશ્કેલીઓને દૂર કરવા માટે વાસ્તુમાં ઉપાયો જણાવવામાં આવ્યા છે. જે કરવાથી તમારા જીવનની પરેશાનીઓ ઘણી હદ સુધી ઓછી થઈ […]

કરુણા અભિયાન-2023: ઘાયલ થયેલા કુલ 9523 પક્ષીઓને નવજીવન મળ્યું

અમદાવાદઃ ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર અને બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત 10 થી 16 જાન્યુઆરી સુધીમાં રાજ્યભરમાંથી કુલ 9523 પક્ષીઓને સારવાર આપી નવજીવન આપવામાં આવ્યું છે, તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કરૂણા અભિયાન-૨૦૨૩માં સમગ્ર રાજ્યમાં 865થી વધારે […]

ચાલો પતંગ ઉડાવીએ.પણ પક્ષીઓનું પણ ધ્યાન રાખીએ..

રાજકોટ:રાજયભરમાં ઉતરાયણનો તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે.પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને તેના મૃત્યુ થવાના બનાવો બનતા હોય છે. આથી, રાજ્યભરમાં ‘જીવો, જીવવા દો અને જીવાડો’ની જીવદયા ભાવના સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આ વર્ષે પણ ઉતરાયણ પર્વ દરમિયાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરીત સારવાર વ્યવસ્થા માટે કરુણા અભિયાન કાર્યરત કરાયું છે. […]

કડીમાં 11,000 પક્ષીઓ સુરક્ષિત રહી શકે તેવા ચબૂતરાનું નિર્માણ કરાયું

અમદાવાદઃ રાજ્યમાં ચકલી સહિતના કેટલાક પક્ષીઓની સંખ્યા સતત ઘટી રહી છે, બીજી તરફ વિકાસના નામે વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું હોવાથી પક્ષીઓને રહેવાની સમસ્યા ઉભી થઈ છે. દરમિયાન ઉત્તર ગુજરાતના કડી તાલુકાના ઘુમાસણ ગામમાં 11 હજાર પક્ષીઓ સુરક્ષિત રહી શકે તે માટે વિશાળ ચબૂતરો બનાવવામાં આવ્યો છે. આજે માનવી પોતાની સુવિધા ઉભી કરવા માટે વૃક્ષોનું […]

જામનગરના ખીજડિયા અભ્યારણમાં પક્ષીઓની વસતી ગણતરી, એક લાખથી વધુ પક્ષીઓ નોંધાયાં

જામનગરઃ શહેર નજીક આવેલા ખીજડિયા પક્ષી અભ્યારણને પક્ષીઓ માટે સ્વર્ગ માનવામાં આવે છે. શિયાળામાં દેશ-વિદેશના અનેક પક્ષીઓ અંહીના મહેમાન બને છે. તો દર વર્ષે પક્ષીઓની ગણતરી કરવામાં આવે છે. આ વખતે કરાયેલી પક્ષી  ગણતરીમાં કુલ 276 પ્રકારના પક્ષીઓ જેની કુલ સંખ્યામાં 1,04,096 પક્ષીઓ નોંધાયાં હતા. સૂત્રોના જણાવ્યા મુજબ જામનગરથી આશરે 15 કિમીના અંતરે આવેલુ ખીજડિયા […]

થોળના પક્ષી અભ્યારણ્યમાં પક્ષીઓની વસતિ ગણતરી માટે 32 પક્ષીવિદો કામે લાગ્યા,

અમદાવાદઃ કડી તાલુકામાં આવેલુ થોળ અભ્યારણ્ય પક્ષીવિદો માટે ખૂબ જ જાણીતુ છે. અભ્યારણ્યમાં દેશ-વિદેશથી અનેક પક્ષીઓ આવતા હોય છે. આ વર્ષે આ થોળ પક્ષી અભ્યારણ્યમાં વિદેશથી આવતા પક્ષીઓની ગણતરી શરૂ કરવામાં આવી રહી છે. પક્ષી ગણતરી માટે અનેક પક્ષીવિદોએ થોળ અભ્યારણ્યમાં મુકામ કર્યો છે. શિયાળાની ઋતુમાં થોળ અભ્યારણમાં મોટા પ્રમાણમાં વિદેશી પક્ષીઓ આવ્યા છે. ખાસ થોળ […]

પોરબંદર પંથકના અનેક સરોવરમાં ફ્લેમિંગો, કુંજ,પેલિકન સહિત દેશ-વિદેશના પક્ષીઓનો જમાવડો

પોરબંદર: ગુજરાતમાં છીછરા પાણીના સરોવરમાં દર વર્ષે હજારો માઈલનું અંતર ખેડીને વિદેશી પક્ષીઓ આવતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી પોરબંદર જિલ્લાના છીછરા પાણીના સરોવરોમાં વિદેશી પક્ષીઓ મહેમાન બની રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદર જિલ્લાના અલગ-અલગ વેટલેન્ડોમાં મોટી સંખ્યામાં પક્ષીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં અનેક જળપ્લાવિત વિસ્તારો આવેલા હોવાથી દેશ […]

ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે ‘કરુણા’ અભિયાન,

અમદાવાદઃ ઉત્તરાણ યાને મકરસંક્રાતિના પર્વને હવે બે-ત્રણ દિવસ બાકી રહ્યા છે. મહાનગરોમાં પતંગ-દોરાની ધૂમ ખરીદી થઈ રહી છે. ત્યારે ઉલ્લાસ અને ઉમંગભર્યા આ તહેવારમાં પતંગની દોરીથી ગગનમાં વિહાર કરતા પંખીઓનો ભોગ લેવાતો હોય છે. આથી પતંગની દોરીથી ઈજાગ્રસ્ત બનેલા અબોલ પક્ષી-પશુની સારવાર માટે કરૂણા અભિયાન મદદમાં આવશે. સૂત્રોના જમાવ્યા મુજબ આગામી ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગની […]

ભાવનગરઃ મોટી સંખ્યામાં વિદેશી યાયાવર પક્ષીઓ બન્યાં મહેમાન

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળામાં દર વર્ષે મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ મહેમાનગતિ માણવા આવે છે. ભાવનગરમાં દર વર્ષના અંતિમ તબક્કામાં વિવિધ કુળના વિદેશી યાયાવર પક્ષીઓ હિમાલયને ઓળંગી યુરોપમાંથી મહેમાનગતિ માણવા આવે છે જેથી દેશ અને વિદેશમાંથી આવતા આ વિવિધ પક્ષીઓને નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ભાવનગરમાં દર વર્ષે શિયાળામાં ના અંતિમ દિવસોમાં મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code