Site icon Revoi.in

ક્રેકિડ કાર્ડ અને ડેબિટ કાર્ડના નિયમોમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ફેરફાર કરાશે

Social Share

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ક્રેડિટ કાર્ડ અને ડેબિટકાર્ડના નિયમોમાં ફેરફાર કર્યો હોવાનું જાણવા છે. RBI દ્વારા લેવામાં આવેલા નિર્ણયો બાદ ડેબિટ, પ્રીપેડ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર થઈ શકે છે. આ અંગે આરબીઆઈએ કહ્યું કે, કોઈપણ કાર્ડનો ઉપયોગ કોઈ ચોક્કસ નેટવર્ક માટે નહીં પરંતુ તમામ નેટવર્ક માટે કરવાની છૂટ આપવી જોઈએ.

RBIએ એક પરિપત્ર બહાર પાડીને કહ્યું છું કે, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, પ્રીપેડ કાર્ડનો ઉપયોગ તમામ નેટવર્ક માટે થવો જોઈએ. બેંકે આ માટે લોકોનો અભિપ્રાય પણ માંગ્યો છે. તમે કાર્ડના ઉપયોગથી સરળતા સાથે કોઈપણ વેપારીને ચૂકવણી કરી શકો છો. કાર્ડ નેટવર્ક વેપારી અને કાર્ડધારક વચ્ચેના વ્યવહારોની સુવિધા આપે છે. કાર્ડ નેટવર્ક એક પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે. કાર્ડ નેટવર્ક આ માટે ફી પણ વસૂલ કરે છે.

કાર્ડ નેટવર્ક કંપનીઓ વિશે વાત કરીએ તો, ચાર મુખ્ય ક્રેડિટ કાર્ડ નેટવર્ક માસ્ટરકાર્ડ, વિઝા, અમેરિકન એક્સપ્રેસ અને ડિસ્કવર છે. આમાંની બે કંપનીઓ કાર્ડ ઈશ્યુઅર પણ છે. જ્યારે પણ તમે કાર્ડ વડે પેમેન્ટ કરો છો ત્યારે કાર્ડ નેટવર્ક દ્વારા નક્કી કરવામાં આવે છે કે ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ ક્યાં કરી શકાય છે. જો તમે ક્યારેય બે અલગ-અલગ ક્રેડિટ કાર્ડની સુવિધા જોશો તો તમને ખ્યાલ આવશે કે જે સુવિધા એક કાર્ડ પર ઉપલબ્ધ છે તે અન્ય કાર્ડ પર ઉપલબ્ધ નથી.

દરેક વેપારી કે દુકાનદાર તમામ પ્રકારની કાર્ડ પેમેન્ટ સ્વીકારવા સક્ષમ નથી. જો ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ અંગેના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે તો તેની સૌથી વધુ સકારાત્મક અસર રુપે કાર્ડ પર જોવા મળશે. એવું માનવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેંક દેશમાં રુપે કાર્ડને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લાવી રહી છે. અમેરિકન વિઝા અને માસ્ટરકાર્ડ પર તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. પરંતુ તેમના કાર્ડ નેટવર્કમાં RuPay કાર્ડ એન્ટ્રી નથી.