Site icon Revoi.in

RSSના સરસંઘચાલક ડો.મોહન ભાગવત વડોદરાની મુલાકાતે આવશે

Social Share

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહનજી ભાગવત તા. 8મી મેના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. વડોદરા ખાતે તા. 8થી 12મી મે સુધી યોજનારા પશ્ચિમ ક્ષેત્રના દ્રીવતીય વર્ષ સંઘ શિક્ષા વર્ગમાં ઉપસ્થિત રહેશે. આ દરમિયાન તેઓ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે.

વડોદરામાં તા. 8થી 12 મે સુધી પશ્ચિમ ક્ષેત્ર એટલે કે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના દ્વિવતીય વર્ષ સંઘ શિક્ષા વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ગમાં આરએસએસના સરસંઘચાલક ડો. મોહન ભાગવતજી પણ ઉપસ્થિત રહેશે. મોહન ભાગવતજી વિદ્યાર્થીઓને વિવિધ વિષયનું માર્ગદર્શન કરશે. એટલું જ નહીં વિદ્યાર્થીઓ સાથે ભાગવતજી સંવાદ કરશે.