અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારતમાં જ દુનિયામાં લોકપ્રિયતા વધી છે. દરમિયાન સુરત શહેરના એક ઝવેરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોનાની સુંદર મૂર્તિ બનાવી છે. 18 કેરેટ સોનાથી બનેલી આ મૂર્તિનું વજન 156 ગ્રામ છે. તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની એકતરફી જીતની યાદમાં જોહરી દ્વારા આ મૂર્તિ બનાવવામાં આવી હતી. પીએમ મોદીની સોનાની મૂર્તિ જોઈને લોકો આશ્ચાર્ય-ચકિત થઈ ગયા છે.
(ઉત્તરપ્રદેશના સીએમ યોગીએ પોતાની ખુરશી ઉપર આરામ ફરમાવતી બિલાડીને કર્યો વ્હાલ… જોવો વીડિયો)
https://youtube.com/shorts/BDXUVAvx4gA?feature=share
અગાઉ બોહરાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સોનાની પ્રતિકૃતિ બનાવી હતી, જે બાદમાં તેમણે વેચી દીધી હતી. તેમણે કહ્યું કે, (નરેન્દ્ર મોદીની) મૂર્તિ ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ ગઈ હતી, પરંતુ તેનું વજન 156 ગ્રામથી થોડું વધારે હતું, પરંતુ ભાજપને 156 બેઠકો મળી છે તે જાણ્યા પછી, કારીગરોએ વજન ઘટાડવા માટે મૂર્તિમાં ફેરફાર કર્યાં હતા.