Site icon Revoi.in

ઉજ્જૈનઃ મહાકાલેશ્વર મંદિરે પહોંચ્યા એક્ટર આશુતોષ રાણા, ભસ્મ આરતીમાં લીધો લાભ

Social Share

નવી દિલ્હી: બોલિવુડ એક્ટર આશુતોષ રાણા મહાકાલના દર્શન કરવા મધ્ય પ્રદેશના ઉજ્જૈન પહોંચ્યા. જ્યા તેમને શ્રી મહાકાલેશ્વર મંદિરમાં પૂજા-આર્ચના કરી. મંદિરમાં આશુતોષ રાણાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

• આશુતોષ રાણાએ કર્યા બાબાના દર્શન
આશુતોષ રાણાએ પણ ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો. એક્ટર ભસ્મ આરતી બાદ શ્રી મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં પહોંચ્યા અને બાબા મહાકાલની પૂજા કરી તેમના આશીર્વાદ લીધા.

• ખાસ હોય છે ભસ્મ આરતી
મંદિરના પુજારી મુજબ, પરંપરાનું પાલન કરતા બ્રહ્મ મુહૂર્તમાં બાબા મહાકાલના દરવાજા ખોલવામાં આવે છે. પછી ભગવાન મહાકાલને દૂધ, દહીં, ઘી, ખાંડ, મધ અને પંચામૃતથી અભિષેક કરવામાં આવે છે. છેલ્લે, ઢોલ અને શંખના નાદ સાથે મહાદેવની ભસ્મ આરતી કરવામાં આવે છે.

• આશુતોષની હિટ ફિલ્મો
આશુતોષ રાણા લાંબા સમયથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. અભિનેતાએ દુશ્મન, સંઘર્ષ, પઠાણ, વાર, હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા, ધડક, સિમ્બા અને રાઝ સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

• વોર-2 માં આવશે નઝર
આશુતોષ રાણા હવે ફિલ્મ વોર-2 માં નઝર આવશે. આ ફિલ્મમાં તેમની સાથે ઋતિક રોશન અને જૂનિયર એનટીઆર લીડ રોલમાં છે. અયાન મુખર્જીના ડાયરેક્શનમાં બની રહેલી વોર-2 સ્વતંત્રતા દિવસના મોકા પર 2025માં થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહી છે.