Site icon Revoi.in

ટેકનીકલ શિક્ષણ હેઠળના ડિગ્રી ઇજનેરી અભ્યાસક્રમોમાં ભણતા 32,839 વિદ્યાર્થીઓને સહાય ચુકવાઈ

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ ઇજનેરી વિદ્યાર્થીઓને અપાતી સહાય સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, આ યોજના ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે રુચિ ધરાવતા રાજ્યના જરૂરિયાતમંદ યુવાનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના તારીખ 7 ઓક્ટોબર 2015થી અમલમાં લાવવામાં આવી છે.

મંત્રી પ્રફુલ પાનશેરિયાએ વધુમાં ઉમેર્યું કે, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત તારીખ 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં ટેકનીકલ શિક્ષણ હેઠળના ડિગ્રી ઇજનેરી અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા રાજ્યના 32,839 વિદ્યાર્થીઓને રૂ.134.03 કરોડની સહાય ચુકવવામાં આવી છે. જે અંતર્ગત વર્ષ 2022-23માં 24,366 વિદ્યાર્થીઓને રૂ.98.92 કરોડ અને વર્ષ 2023-24માં 8,473 વિદ્યાર્થીઓને રૂ.35.11 કરોડની સહાય ચુકવવામાં આવી છે.

Exit mobile version