1. Home
  2. Tag "assistance"

અમદાવાદમાં 45,989 મહિલાઓને નિરાધાર વિધવા મહિલાઓના પુન:સ્થાપન માટે આર્થિક સહાય કરાઈ

નિરાધાર વિધવા મહિલાઓના પુન:સ્થાપન માટે આર્થિક સહાય પૂરી પાડવા અમદાવાદ શહેર અને જિલ્લામાં મળી બે વર્ષમાં 45,989 અરજીઓ મંજૂર કરાઇ. રાજ્યની નિરાધાર વિધવા મહિલાઓના પુન:સ્થાપન માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે ગુજરાત સરકાર દ્વારા ગંગા સ્વરૂપા યોજના અમલમાં મૂકવામાં આવી છે, તેમ મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા પૂછાયેલા […]

ટેકનીકલ શિક્ષણ હેઠળના ડિગ્રી ઇજનેરી અભ્યાસક્રમોમાં ભણતા 32,839 વિદ્યાર્થીઓને સહાય ચુકવાઈ

અમદાવાદઃ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ ઇજનેરી વિદ્યાર્થીઓને અપાતી સહાય સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, આ યોજના ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે રુચિ ધરાવતા રાજ્યના જરૂરિયાતમંદ યુવાનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના તારીખ 7 ઓક્ટોબર 2015થી અમલમાં લાવવામાં આવી છે. મંત્રી પ્રફુલ […]

ખેડૂતો કાંટાળા તારની ફેન્સીંગની સહાય માટે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે

ગાંધીનગરઃ ગુજરાતના ખેડૂતોના ઉભા પાકને રક્ષણ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ખેતરની ફરતે કાંટાળા તારનું ફેન્સીંગ કરવામાં સહાય આપવાની યોજના અમલમાં છે. આ યોજના હેઠળ ખેડૂતોને ઓછામાં ઓછા બે હેકટર વિસ્તાર માટે નવી તારની વાડ બનાવવા રનીંગ મીટર દીઠ રૂ. 200 અથવા ખરેખર થનારા ખર્ચના 50 ટકા, બંનેમાંથી જે ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં […]

ગુજરાતમાં વધુ 67 કૃષિ ઉદ્યોગ એકમોને 11 કરોડની સહાયનું કૃષિમંત્રી દ્વારા વિતરણ કરાયું

ગાંધીનગરઃ   કૃષિ મંત્રી  રાઘવજી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં “સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ” હેઠળ નોંધાયેલ કૃષિ ઉદ્યોગ સાહસિકોને ઉદ્યોગની સ્થાપના માટે સહાય વિતરણ કરવાનો સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કૃષિ મંત્રીના હસ્તે સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ હેઠળ નોંધાયેલા નવા 67  જેટલા કૃષિ ઉદ્યોગકારોને સહાય હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા. કૃષિ મંત્રીએ લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, […]

ગુજરાતઃ મૂડી-વ્યાજ સહાય સબસીડી સ્કીમ હેઠળ ઉદ્યોગ સાહસિકોને રૂ. 6300 કરોડથી વધુની સહાય

અમદાવાદઃ મલ્ટીનેશનલ કંપની માઈક્રોન ટેકનોલોજીએ ગુજરાતમાં રોકાણ માટે સમજૂતિ કરાર કર્યા છે. આ કંપની સેમિકંડક્ટર ચીપના નિર્માણક્ષેત્રે અમેરિકાની અગ્રગણ્ય કંપની છે. ગુજરાત રોકાણકારો અને ઉદ્યાગકારો માટે પસંદગીનું પ્રથમ સ્થળ છે. આ શક્ય બન્યું છે ગુજરાત સરકારની બિઝનેસ ફ્રેન્ડલી નીતિઓના કારણે. ગુજરાતમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રમાં (MSME) છેલ્લા પાંચ વર્ષમાં આપવામાં આવેલી સહાય તેનો […]

મોટાભાગના ખેડુતોએ માલ વેચી દીધા બાદ સરકારે બટાકા અને ડુંગળીના પાકમાં સહાયની કરી જાહેરાત

ગાંધીનગરઃ ગુજરાતમાં આ વર્ષે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં બટાકાનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે. જેયારે સૌરાષ્ટ્રમાં ડુંગળીનું પણ મબલખ ઉત્પાદન થયું છે. બટાટા અને ડુંગળીના ભાવ ગગડી જતાં ખેડુતોની હાલત કફોડી બની હતી. ખેડુતોને મફતમાં ભાવમાં બટાટા અને ડુંગળીનો પાક વેચવાની ફરજ પડી હતી. ત્યારે અનેક રજુઆતો બાદ રાજ્ય સરકારે બટાટા અને ડુંગળીના પાકમાં સહાય […]

ગુજરાતના શહિદ જવાનોના આશ્રિતોને સહાયમાં વધારો કરાશે, સરકારે ત્રણ માગણી સ્વીકારી

ગાંધીનગરઃ ગુજરાતમાં પૂર્વ સૈનિકોને જમીન, સરકારી નોકરીમાં અનામત જેવી અનેક માંગણી સરકાર દ્વારા પૂર્ણ કરવામાં ન આવતા હવે પૂર્વ સૈનિકોનું સંગઠન સોમવારથી ગાંધીનગર ખાતે આંદોલન કરવાનું હતું. પરંતુ રાજ્ય સરકારે ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતોને સરકાર દ્વારા જવાન રાહત ભંડોળમાંથી ચૂકવવામાં આવતી વિવિધ સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે પૂર્વ સૈનિકોની 14 પૈકીની […]

તાપી જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે કૃષિ પાકને નુકસાન થતા સરકાર પાસે સહાયની માંગ

સુરતઃ તાપી જિલ્લાના ભારે વરસાદને કારણે ખેડુતોના સારૂએવું નુકશાન થયુ છે. જેમાં અંતરીયાળ વિસ્તારમાં નદી પટ પર આવેલા અંદાજિત 25 થી 30 જેટલા ગામોને પુણા નદીમાં પૂર આવવાને કારણે ખૂબ નકશાન થયું છે. આબાપાણી ગામમાં પૂર્ણા નદીએ તબાહી મચાવી હતી. પુર્ણા નદીના કિનારે વસવાટ કરતા લોકો પૂરથી પ્રભાવિત થયા હતા. ત્યારે અતિવૃષ્ટિ અને પૂરનો ભાગ […]

ગુજરાતમાં અતિવૃષ્ટિમાં નુકશાન થયું હશે એવા પરિવારોને સહાય ચુકવાશે, મૃતકના પરિવારોને 4 લાખ

ગાંધીનગર:  ગુજરાતમાં ભારે વરસાદને લીધે કેટલાક વિસ્તારમાં ભારે નુકશાની થઈ હતી. અને ઘણા લોકોના ડુબી જવાથી મોત નિપજ્યા હતા. ત્યારે સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. બુધવારે કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં સહાયની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા ભારે વરસાદથી થયેલી નુકસાનીમાં સહાયની જાહેરાત કરવામાં આવી છે, જેમાં માનવ મૃત્યુના કિસ્સામાં 4 […]

ગુજરાતમાં રજિસ્ટર્ડ ગૌશાળાઓને પશુદીઠ રૂપિયા 30ની સહાય તાકિદે ચુકવવા સરકારે લીધો નિર્ણય

અમદાવાદઃ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાંજરાપોળો-ગૌશાળાઓની હાલત દયનિય બની હતી. જેમાં બનાસકાંઠામાંથી પાંજરોપોળો અને ગૌશાળાઓને મદદ કરવા માગ ઊઠી હતી. ત્યારે ગુજરાત સરકારે ગૌ માતાઓના જતન-સંવર્ધન માટે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત રજીસ્ટર્ડ ગૌશાળાઓેને પશુ દીઠ રૂ.30ની સહાય ગત તા.1લી એપ્રિલ-2022થી આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code