Site icon Revoi.in

‘બારામતી વિમાન દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ’- મમતા બેનર્જી

Social Share

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પર ઊડો શોક વ્યક્ત કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં, તેમણે બારામતીમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનાની સંપૂર્ણ તપાસની માંગ કરી છે. આ અકસ્માતમાં અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા હતા. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ તપાસ શરૂ કરી છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને તેમની સાથે મુસાફરી કરી રહેલા લોકોનું આજે સવારે બારામતીમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું છે અને મને ખૂબ જ દુઃખ છે. સ્વર્ગસ્થ અજિત પવારના પરિવાર, તેમના કાકા શરદ પવાર અને તેમના બધા મિત્રો અને સમર્થકો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે.”

વધુ વાંચો: અજિત પવારના નિધન પર રાષ્ટ્રપતિ અને PM મોદી સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો

અકસ્માતની તપાસની માંગ

સીએમ મમતા બેનર્જીએ પણ વિમાન દુર્ઘટનાની યોગ્ય તપાસની માંગ કરી હતી. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારને લઈ જતું ચાર્ટર વિમાન આજે સવારે મહારાષ્ટ્રના બારામતી એરપોર્ટ પર ઉતરતી વખતે ક્રેશ થયું હોવાનું જાણવા મળે છે. આ અકસ્માતમાં, અજિત પવાર અને બે પાઇલટ સહિત વિમાનમાં સવાર પાંચેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

DGCA એ શું કહ્યું?

ડીજીસીએ (નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય) ના અધિકારીઓની એક ટીમ દુર્ઘટના સ્થળ પર જઈ રહી છે. ડીજીસીએએ જણાવ્યું હતું કે પાંચ મુસાફરો, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, બે અન્ય કર્મચારીઓ (એક પીએસઓ અને એક એટેન્ડન્ટ) અને બે ક્રૂ સભ્યો (પાયલોટ-ઇન-કમાન્ડ અને ફર્સ્ટ ઓફિસર) સાથે વિમાનમાં હતા. ડીજીસીએના અધિકારીએ જણાવ્યું હતું કે શરૂઆતની માહિતી મુજબ, વિમાનમાં સવાર કોઈ પણ વ્યક્તિ દુર્ઘટનામાં બચી શક્યું નથી.

વધુ વાંચો: અજિત પવારના નિધન પર મહારાષ્ટ્રમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર

Exit mobile version