ગાંધીનગર, 18 માર્ચ, 2026 ગુજરાત ભાજપ દ્વારા પ્રદેશ સંકલન સમિતિત (કોર ગ્રુપ)ની રચના કરવામાં આવી છે. આ અંગેની આજે જાહેરાત કરવામાં આવી.
ગુજરાત ભાજપ દ્વારા જણાવ્યા મુજબ, રાષ્ટ્રીય નેતૃત્વ અને મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આજે પ્રદેશ સંકલન સમિતિની જાહેરાત કરી છે.
આ સમિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જગદીશ વિશ્વકર્મા, સી.આર. પાટીલ, હર્ષ સંઘવી, રત્નાકરજી, જીતુભાઈ વાઘાણી, ઋષિકેશ પટેલ, ગણપતસિંહ વસાવા, દર્શનાબેન વાઘેલા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા આઈ.કે. જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

