1. Home
  2. Tag "Rishikesh Patel"

કોવિડ રસીકરણની કોઈ આડ અસર નથી, યુવાનોમાં હાર્ટ એટેકની વાત સત્યથી વેગળીઃ ઋષિકેશ પટેલ

અમદાવાદઃ રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કોવીડ રસીકરણની આડ અસર થી યુવાનોના હાર્ટ એટેકની વાતને પાયા વિહોણી અને સત્યથી વેગળી ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, રસીકરણની દવાની કોઈ પણ આડ અસર નથી. દેશના નાગરિકોને 250 કરોડથી વધુ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ જે. એન. 1 વેરિયેન્ટ અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં આરોગ્ય […]

અમે કોઈને બોલાવતા નથી, પરંતુ કોંગ્રેસમાં કેટલાક નેતાઓ ગુંગડામણ અનુભવતા હોવાથી પાર્ટી છોડી રહ્યાં છેઃ ઋષિકેશ પટેલ

અમદાવાદઃ ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. દરમિયાન રાજ્યના કેબિનિટ પ્રધાન અને ભાજપના સિનિયર નેતા ઋષિકેશ પટેલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરીને કહ્યું હતું કે, અમે કોઈને બોલાવતા નથી. આ ઉપરાંત તેમણે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપા ગુજરાતની તમામ 26 બેઠકો ઉપર જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો […]

શ્રી બહુચરાજી માતાજીના નવા ભવ્ય મંદિરનું નિર્માણ કરાશે: ઋષિકેશ પટેલ

86 ફૂટથી વધુ ઊંચાઈ સાથેનું ભવ્ય મંદિર બંસીપહાડપુર પથ્થરમાંથી  નિર્માણ પામશે સોમનાથ, દ્વારકા અને પાવાગઢના મંદિરના વિકાસની જેમ બહુચરાજી મંદિરનું નિર્ણાણ કરાશે અમદાવાદઃ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, શ્રદ્ધાળુઓની લાગણી ધ્યાને રાખીને શ્રી બહુચર માતાજીના ભવ્ય નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના ધર્મપ્રેમી ભક્તોને દર્શન માટેની સગવડો ધ્યાને લઈ સોમનાથ, દ્વારકા, પાવાગઢના […]

રાજકોટ એઈમ્સની 64 ટકા કામગીરી પૂર્ણ, સપ્ટેમ્બરમાં 250 બેડની ઇન્ડોર હોસ્પિટલ કાર્યરત થશે

અમદાવાદઃ નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન રાજકોટ ખાતેની એઇમ્સ હોસ્પિટલની કામગીરીની સમીક્ષાર્થે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. મનસુખ માંડવીયા રાજકોટ એઇમ્સની મુલાકાત લીધી હતી. ડો. માંડવીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક રાજ્યમાં ઉત્કૃષ્ટ સારવાર મળી રહે તે માટે કટિબદ્ધ હોઈ તેઓના વડાપ્રધાન બન્યા બાદ 2014 થી નવી 16  એઈમ્સને મજૂરી આપવામાં […]

જેલમાં બંધ 22 કેદીઓ ધો-12 સામાન્ય પ્રવાહમાં ઉતીર્ણ થયાં

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધો-12 સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેલમાં બંધ લગભગ 56 જેટલા કેદીઓએ ધો-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. જે પૈકી આજે જાહેર થયેલા પરિણામમાં 22 જેટલા કેદીઓ ઉત્તીર્ણ થયાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યની વિવિધ જેલમાં બંધ કેદીઓ જેલમાંથી મુક્ત […]

ગુજરાતના 72 જળાશયમાં પર્યાપ્ત માત્રામાં પીવાના પાણીનો જથ્થો આરક્ષિત છે: ઋષિકેશ પટેલ

ગાંધીનગરઃ પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ઉનાળામાં રાજ્યના નાગરિકોને પીવાના પાણી સહિત અન્ય જરૂરિયાતો માટે વપરાતા પાણીની કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા પાણી વિતરણ માટે આગોતરું આયોજન પણ કરવામાં આવ્યું છે. રાજ્યના 72 જળાશયો આધારિત જે જુથ યોજનાઓ […]

રાજ્ય સરકાર ઓછી કોસ્ટ અને મેરીટ આધારીત વીજળી ખરીદી કરે છે : ઋષિકેશ પટેલ

અમદાવાદઃ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા ગુજરાત સરકાર રાજ્યમાં 24 કલાક અને ખેડૂતોને 8 કલાક એકધારી વીજળી પૂરી પાડી રહી છે. વર્ષ 2006માં તત્કાલિન કેન્દ્ર સરકારે “નેશનલ ટેરીફ પોલીસી “ જાહેર કરી હતી. જેમાં વીજળીની જરૂરિયાત પૂરી કરવા ખાનગી વીજ ઉત્પાદક કંપનીઓ પાસેથી ટેન્ડર પ્રક્રિયા દ્વારા વીજ […]

108 સેવા પ્રજા માટે દેવદુત બનીઃ અત્યાર સુધીમાં 1.42 કરોડ લોકોએ તાત્કાલિક આરોગ્ય સેવા પુરી પાડાઈ

અમદાવાદઃ રાજ્ય સરકારે ‘108 એમ્બ્યુલન્સ’ની સેવાને વ્યાપક અને પરિણામલક્ષી બનાવી છે. અગાઉ જ્યારે માત્ર હોસ્પિટલ કે ટ્રસ્ટની એમ્બ્યુલન્સ દ્વારા જ દર્દીઓને હોસ્પિટલ પહોચાડવામાં આવતા હતા, તેની સામે આજે રાજ્યના ખૂણે-ખૂણે ગણતરીની મિનિટોમાં જ એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ બનતા લોકો માટે ‘108 એમ્બ્યુલન્સ સેવા’ આશીર્વાદ સમાન બની છે. રાજ્યમાં અકસ્માત કે આપત્તિનાં સમયે ઇજાગ્રસ્ત-બીમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર […]

વિસનગરમાં હારના ડરે ઋષિકેશ પટેલે ઊંઝાથી ટિકિટ માગતા ભાજપના સ્થાનિક કાર્યકર્તાનો વિરોધ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એકાદ મહિનો બાકી રહ્યો છે. ભાજપ સહિત તમામ પક્ષોએ ઉમેદવારોની પસંદગીની પ્રકિયા શરૂ કરી દીધી છે. ભાજપમાં તો ટિકિટવાંચ્છુઓનો રાફડો ફાટ્યા છે. ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલે ઊંઝા સીટ પરથી ટિકિટ માંગતા ઊંઝાના ભાજપાના કાર્યકર્તાઓમાં વિરોધ ઊભો થયો છે. મહેસાણા જિલ્લો રાજકીયરીતે મહત્વનો ગણાય છે. અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code