Site icon Revoi.in

જો બાળકો જમવામાં આનાકાની કરે તો આ રીત અપનાવો, તરત જ ભૂખ લાગવા લાગશે

Social Share

શું તમારૂ બાળક ખાવામાં અચકાય છે? જો હા તો આ એક સામાન્ય સમસ્યા છે. જેનો સામનો દરેક માત-પિતાએ કરવો પડે છે. પણ, ચિંતા ના કરશો! અમે તમને થોડીક એવી રીતો બતાવીશુ કે જે તમારા બાળકની ભૂખ તરત જ વધશે.

એક જ સમયે ખાવાનું ખવડાવો
જો બાળકો દરરોજ એક જ સમયે ખાવાનું ખાય છે, તો તેમનું શરીર તે સમય માટે તૈયાર થઈ જાય છે. અને તે જમવા માટે તૈયાર થઈ જાય છે. તેનાથી તેમની ભૂખ પણ વધે છે.

રંગ-બે-રંગી અને સ્વાદિષ્ટ જમવાનું પીરસો
બાળકો રંગીન અને ટેસ્ટી ખાવાનું પસંદ કરે છે. અલગ-અલગ રંગોની શાકભાજી અને અલગ-અલગ વસ્તુઓનો ઉપયોગ કરીને જમવાનું આકર્ષિત બનાવો.

ઓછી માત્રામાં ખોરાક આપો
બાળકો ઘણીવાર વધુ પડતો ખોરાક જોઈને કતરાય છે. એટલા માટે ઓછી માત્રામાં ખોરાક આપવાથી તેમને ખાવામાં રસ રહેશે.

પરિવાર સાથે ખાઓ
બધા સદસ્યો જ્યારે એક સાથે ભોજન કરે છે ત્યારે બાળકોને ખાવાની મજા આવે છે. એનાથી તેમનો ખાવામાં રુચિ વધે છે.

જંક ફૂડથી દૂર રહો
વધુ પડતું મીઠુ કે જંક ફૂડ ખાવાથી બાળકોની ભૂખ ઓછી થઈ શકે છે. તેથી, ફળો, શાકભાજી અને અનાજ જેવા આરોગ્યપ્રદ ખોરાકને પ્રાધાન્ય આપો.