Site icon Revoi.in

આહારમાં કાચા નારિયળને સામેલ કરવુ આરોગ્ય માટે ખુબ ફાયદાકારક, જાણો ફાયદા…

Social Share

ઠંડી હોય કે ગરમી કોઈપણ ઋતુમાં કાચું નારિયેળ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઠંડીના દિવસોમાં કાચા નારિયેળનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. તેમાં કોપર, સેલેનિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ઝિંક જેવા ઘણા ખનિજો મળી આવે છે. આ બધા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિવાય કાચા નારિયેળમાં રહેલ ફેટ શરીર માટે ફાયદાકારક હેલ્ધી ફેટ તરીકે કામ કરે છે. તેમાં ફોલેટ, વિટામીન સી અને થાઈમીન પણ મર્યાદિત માત્રામાં જોવા મળે છે. તમે દરરોજ તમારા આહારમાં કાચું નારિયેળ સામેલ કરી શકો છો.

કાચા નારિયેળમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાઓ ઓછી થાય છે. કાચા નારિયેળમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ જ વધારે છે એટલે કે લગભગ 61%. ફાઈબર પાચન તંત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

કાચા નારિયેળનું સેવન લોહીમાં સુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે. આ ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન સાબિત થઈ શકે છે.

કાચા નારિયેળમાં વિટામિન ઈ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે વાળ અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.

વજન ઘટાડવાની પ્રક્રિયામાં કાચું નારિયેળ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. તે ભૂખને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ઉપરાંત, નારિયેળમાં હાજર ટ્રાઇગ્લિસેરાઇડ શરીરમાં ઝડપથી ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. તે કોલેસ્ટ્રોલ લેવલને પણ સંતુલિત રાખે છે. એક રિસર્ચ અનુસાર લો ફેટ ડાયટમાં તે ખૂબ જ સારો વિકલ્પ છે.

કાચા નારિયેળમાં વિટામિન B6, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો મળી આવે છે. આ તમામ તત્વો મગજને મજબૂત બનાવે છે અને તેની કાર્યક્ષમતામાં વધારો કરે છે. નિયમિતપણે કાચું નારિયેળ ખાવાથી મગજ ઝડપથી અને સચોટ રીતે કામ કરે છે. આ ઉપરાંત યાદશક્તિ પણ સુધરે છે.